SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર திருகுகுகுகுகுகுகுகுகுகுகு પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ વ્યાશી દિવસ સુધી પોતાના શરીરને વોસિરાવી એટલે શરીર વ્યાખ્યાન ઉપરની મમતા ત્યજીને રહ્યા અને જે કોઈ દેવકૃત, મનુષ્યકૃત કે તિર્યંચકૃત અનુકૂળ કે, પ્રતિકૂળ ઉપસર્ગો થયા તેને સારી રીતે સહન કર્યા, ભોગવ્યા, ખમ્યા અને નિર્ભયપણે સહ્યા, તેમાં કમઠ મરીને મેઘાલી દેવ થયો હતો તે દેવે કરેલ ઉપસર્ગો આ પ્રમાણે છે. ચારિત્ર લીધા પછી વિહાર કરતા F) પ્રભુ કોઈ તાપસના આશ્રમ પાસે આવ્યા, ત્યાં રાત્રે એક કૂવાની સમીપમાં વડ વૃક્ષ નીચે કાઉસગ્ગ ) ધ્યાને રહ્યા, આ વખતે મેઘમાલી દેવે અવધિજ્ઞાનથી જોયું તો પાર્થપ્રભુને ત્યાં જોયા. પૂર્વવૈરથી ત્યાં આવી એ દેવે વૈતાલના, વીંછીના, સર્પના, સિંહના, હાથીના અને બીજા પણ અનેક જાતના રૂપો વિકુવન ઉપસર્ગો કરવા માંડયા. તે ઉપસર્ગોથી પ્રભુ જરાપણ ધ્યાનથી ડગ્યા નહીં એટલે તે દેવે ગર્જના કરી કલ્પાંત કાળ જેવો વાયુ વિકર્વી ધૂળ વૃષ્ટિ કરીને પાર્થપ્રભુના આંખ, કાન, નાક પૂરીને શ્વાસ રૂંધી નાંખ્યો, પછી મેઘ વિકુવન મુશળધાર વરસાદ વરસાવ્યો તથા બ્રહ્માંડ તૂટી જાય તેવી F) ગર્જના કરવા લાગ્યો. ક્ષણવારમાં તે વરસાદનું પાણી પ્રભુના કંઠ સુધી પહોંચી આવ્યું, અને દેવના F) પ્રભાવથી તે પાણી ચારેબાજુ વધારે પ્રસર્યું નહીં, ત્યાં જ વધવા માંડયું, આ સમયે ધરણેન્દ્રનું આસન . કંપ્યું તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી ઇન્દ્ર પાર્થપ્રભુનો ઉપસર્ગ જાણ્યો. અને સપરિવાર તરત . પ્રભુ પાસે આવીને પ્રભુના મસ્તક ઉપર ફણાછત્ર ધારી રહ્યો તથા પદ્માવતી દેવીએ પ્રભુના પગની ૪) નીચે પદ્મકમળની રચના કરી. એ રીતે ત્રણ દિવસ સુધી અખંડ જુગ મુશળધારાએ મેઘને વરસતો શું HD જોઈ અવધિજ્ઞાનથી તેનું કારણ ઇન્દ્ર જોયું તો મેઘમાલી દેવને વરસાદ વરસાવતો જોયો, ત્યારે (F) ક્ષેત્રે કહ્યું કે, “અરે દુષ્ટ ! આ પ્રભુ ઉપર આટલો ક્રોધ ? ક્ષમાસાગર એ પ્રભુ તો સહન કરશે રે પણ સહન નહીં કરું, એમ કહી ધરણેન્દ્ર મેઘમાલી પર વજ ફેંક્યું. તેથી અત્યંત ભયભીત થઈ પ્રભુ પાસે આવી પોતાનો અપરાધ વારંવાર ખમાવીને તે મેઘમાલી પ્રભુના ચરણનું શરણું લઇને રહ્યો, ત્યારે ધરણેન્દ્ર તેને કહ્યું “અરે દુષ્ટ તેં પ્રભુનું શરણ લીધું છે એટલે તને મૂકું છું, એમ કહીને 5) વજ લઈ તેને છોડી દીધો. ધરણેન્દ્ર વંદના કરી પોતાના સ્થાને ગયો, મેઘમાલી પણ પોતાના દેશ ) લવના વૈરને ખમાવી પ્રભુ આગળ ભક્તિ નૃત્ય કરી પોતાને સ્થાને ચાલ્યો ગયો. திருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு en Education nation For Personal Private Use Only wwwnelorary.
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy