SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ $$4706 કલ્પસૂત્ર છે કે તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં, તેમણે કહ્યું જેવો તું છે તેવા તારા ધર્માચાર્ય હશે. ત્યારે વ્યાખ્યાન 5) ગુસ્સે થયેલા ગોશાળાએ કહ્યું કે મારા ધર્માચાર્યના પ્રતાપથી તમારો આશ્રમ નાશ પામશે. ) સાધુઓએ કહ્યું, અમને તેનો ભય નથી. પછી ગોશાળો પ્રભુ પાસે આવ્યો. તે રાત્રે જિનકલ્પની - તુલના કરતા અને શાળાની બહાર પ્રતિમા ધારીને રહેલા એવા મુનિચંદ્રસૂરિને નહીં ઓળખવાથી E મદિરા પાનથી મસ્ત બનેલા અને ઘૂમતાં ત્યાં આવેલા કુંભારે સૂરિને ચોર માનીને ઘણો માર માર્યો. તેને સહન કરતા સૂરિજીને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ઘણો માર લાગેલ તેથી સૂરિજી કાળ કરી સ્વર્ગે ગયા. તેમનો મહિમા કરવા આવેલા દેવોએ ઉદ્યોત કર્યો, તે ઉદ્યોતને દૂરથી જોઇને ગોશાળાએ કહ્યું કે “અહો, તેમનો આશ્રમ નાશ પામી રહેલ છે. ત્યારે સિદ્ધાર્થે ખરી વાત કહી Eછે છતાં તે દુષ્ટ સ્વભાવવાળો ગોશાળો તેમના આશ્રમે જઇને ત્યાં રહેલા સાધુઓનો તિરસ્કાર કરીને Fિ પાછો આવ્યો. પ્રભુ ત્યાંથી ચૌરા ગામે આવ્યા. પ્રભુને અને ગોશાળાને ત્યાંના ચોકીદારોએ જાસૂસ જાણીને પહેલાં ગોશાળાને પકડીને હેડમાં નાખ્યો. પછી પ્રભુને હેડમાં નાખવાની વિચારણા કરતા ? હતા ત્યારે ઉત્પલ નિમિત્તિઓની સોમા અને જયંતી નામની બે બહેનો સંયમ પાળવામાં અશક્ત થવાથી પરિવ્રાજિકા બની હતી. તેમણે પ્રભુને ઓળખીને હેડમાં નાખતા ચોકીદારોને અટકાવીને ગોશાળાને પણ છોડાવી દીધો. પછી પ્રભુ ત્યાંથી પુષ્ટ ચંપાનગરીએ આવ્યા. ત્યાં ચાર માસખમણ ) દિ કરી એટલે ચાર માસના ઉપવાસ કરી ચોથું ચાતુર્માસ પૂરું કર્યું. ત્યાંથી વિહાર કરી તેજ નગરીની E બહાર પારણું કરી ત્યાંથી પ્રભુ શ્રાવતિ નગરીમાં આવ્યા. ત્યાં નગરીની બહાર કાયોત્સર્ગ રહ્યા. ભિક્ષા લેવા જતાં ગોશાળાએ પૂછયું, આજે મને કેવો આહાર મળશે ? સિધ્ધાર્થે કહ્યું, આજે તને ? ભિક્ષામાં મનુષ્યનું માંસ મળશે. પછી ગોશાળો જ્યાં માંસ ન મળે એવા વાણિયાઓને ત્યાં ભિક્ષા લેવા ગયો. પરંતુ બન્યું એવું કે ત્યાં રહેતા પિતૃદત્ત વણિકની સ્ત્રી ભદ્રાને, મરેલા બાળકો જન્મતા E) હતા તેથી તેણીએ કોઈ નિમિત્તિઓને ઉપાય પૂછતાં તેણે કહ્યું કે જો તું તારા મરેલા બાળકનું F 2 માંસ દૂધપાકમાં રાંધીને કોઈ ભિક્ષકને આપીશ તો તારા બાળકો જીવતા રહેશે. તેથી તે સ્ત્રીએ રે તેજ વિધિપૂર્વક ગોશાળાને દૂધપાક આપી દીધો. પછી તેણે આપેલ ભિક્ષા લઈ ગોશાળો તેનું 444444444444444 54441 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy