SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સુણજો રે ભાઈ સાદ ૨૭. વધુમાં વધુ પાક લેવાના ગાંડપણમાં આપણે સંકર બિયારણ ને બનાવટી ખાતરનાં રવાડે ચડ્યા. પરિણામે પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટી, અને જંતુનારાકોને પ્રવેશ મળ્યો. અનાજનું ઉત્પાદન વધારવા માટે નહીં પરંતુ જંતુનારાકોને પ્રવેરા અપાવવા સંકર બિયારણનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે, તે વાત પ્રજાના ખ્યાલ બહાર ગઈ. વર્ષના બબ્બે ત્રણ ત્રણ પાક લેવાની સિદ્ધિનાં બણગાં ફૂંકતી વેળા એ સદંતર ભૂલી ગયા કે એક જ. પાક લેતાં ખેડૂત તે પાક લણી લે પછી ખેતર ખાલી પડતું. તેવા ખેતરમાં જીવન ટકાવી રાખવા કોઈ આહાર દ્રવ્ય ન મળતાં જીવાતોની અનેક જાતો પર કુદરતી રીતે જ અંકુશ આવી જતો. Jain Education International ખેર ! રાષ્ટ્રીય સ્તર પર કદાચ બહુરાષ્ટ્રીય કંપનીઓના વિરાટ સ્થાપિત હિતો સામે ઝઝૂમવું અઘરું હોય તો પણ છેવટે ગુજરાત પૂરતું ય નવા પ્રધાનમંડળના પ્રધાનો સુધી ‘આધુનિક ખેતી'નાં દુષ્પરિણામોની વાતો જાગરૂક નાગરિકો દ્વારા પહોંચાડાય અને ગુજરાતના સ્તરે પણ આ વિષચક્રને મળતું સરકારી પ્રોત્સાહન અટકે તોય ઘણું.. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005619
Book TitleSunjo re Bhai Sad
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy