________________
અરે ભાઈ સાક
૨૩ તે પેદા કરવાની તાકાત તો દુનિયાના કોઈ બેબીકૂડમાં નથી. જે સ્ત્રી એમ ઇચ્છતી હોય કે પોતાનું સંતાન મોટું થઈ એકલપેટું બની પોતાને પણ હડધૂત ન કરે, તેણે પોતાના તેટલા સ્વાર્થ ખાતર પણ બ્રેસ્ટફીડીંગ'ના તંતુ દ્વારા બાળક સાથે કાયમી સ્નેહની ગાંઠ વાળી લેવી જોઈએ.
* * કોઈ વિશિષ્ટ સંયોગોમાં ધાવણ જ ન આવતું હોય તેવી સ્ત્રીને ધાવણ વધારનારા ઔષધો સૂચવવાની તે છતાં પણ શકચ ન બને તો ધાવમાતા દ્વારા સ્તનપાન કરાવવાની તથા તે પણ શકય ન હોય તો બકરી કે ગાયના દૂધનું પોષણ આપવા સુધીની વાત આપણે ત્યાં છે. તેથી આવા બહાના નીચે પણ બેબીકૂડનો પગપેસારો ન થઈ જાય તેની સાવચેતી જાગરૂક નાગરિકોએ રાખવા જેવી છે. અન્યથા ડેરીઓ દ્વારા ગામડે ગામડે દૂધનું ટીપે ટીપે ચૂસી લઈ છાશ જેવી અનુપમ ચીજનાં દર્શન પણ દોહ્યલાં બનાવી ગામડાના બાળકોને . અપોષણના ખપ્પરમાં હોમી દેનાર અને હાલ તેલના વેપાર પર એચડી પકડ જમાવી સામાન્ય માનવી માટે તેલ પણ દુર્લભ બનાવી દેવા ભણી આગળ વધી રહેલા ડો. કુરિયન અને તેમના એજન્ટો અમૂલ એ જેવી બનાવટો વેચી પોતાજી સંસ્થાઓને માલેતુજાર બનાવવા માટે સ્તનપાન જેવી કુદરતની અભુત ભેટને નેસ્તનાબૂદ કરી દેવા પોતાનાથી બનતું બધું કરી છૂટશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org