SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Jસક અખતરાઓએ માટે રાખેલ પ્રાણીઓને રવિવારુને એક દિવસે રામૂક હલ્લો અને તાળાં તોડીને પાંજરામાંથી મુક્ત કરી દીધેલ. પ્રાણીદવા વાતાવરણ જેમને જનમથી જ મળ્યું નથી તેવાં અમેરિકન યુવાન-યુવતીઓ પણ જાણીપ્રેમની આટલી : ઉત્કટ ભાવના ધરાવતા હોય તો લોહીમાંથી જ જેમને ઉત્તરસ્કારો મળ્યા છે તેવા યુવાનોની સ્થિતિ શું હોવી જોઈએ? એને બદલે આ તો એણપરિસ્થિતિનું રાજીન થયું છે કે પગ નીચે ભૂલથી કીડી પણ ચગદાઈ જાય તો જેના દિલગીધી અરેરાટી નીકળી જાય તેવો જૈન કુળમાં જન્મેલ બાળક તેને ડૉક્ટર બનાવવાના માં માતા-પિતાના અભરખાને પૂરા કરવા મેડિકલ કૉલેજમાં જઈને ઠંડે કલેજે જીવતા દેડકા પણ ચીરતો થઈ જાય છે. હોમિયોપથીની દવાઓને તદ્દન નિર્દોષ માની લેનારા લોકોની જાણ માટે એટલું જણાવવું જરૂરી છે કે હોમિયોપથી અમુક દવાઓમાં પણ ઘણીજ પદાથના' વપરાશની પૂરી સંભાવના રહેલી છે. દયાનિરપેક્ષ બનેલ આ યુગમાં જીલેટીન જેવા પ્રાણીજ પદાર્થોનો તો પ્રિન્ટિંગ માટેની શાહીથી લઈને હસતા મોપડાવતા ફોટાઓ માટેની ફોટોગ્રાફિક ફિલ્મ રાધીની અનેક ચીજવસ્તુઓમાં એટલો સાપક વપરાશ થાય છે કે તેમાંથી સર્વથી બચવા માટે તો કારખાનાંઓમાં વનેલી ચીજવસ્તુંઓના બહિષ્કારનું એલાન જ વાસ્તવિક ઉપાય બની શકે તેમ છે. . . . . ' અહિંસાનો મહિમા આ દેશની પ્રજા લોહીમાં એવો વણાઈ ગયેલો કે હિંદુસ્તાનના લાખો ગામડાઓમાં વૃદ્ધો સવારના પહોરમાં જ વાટીકામાં આટો લઈને ગામના ગોંદરે આવેલ કીડીયારે લોટ પૂરદ્વા જતા તો વળી કો'ક ગામને પાદર આવેલા નદી, તળાવ કે રારોવરમાં રહેલા માછલાં પણ ભૂખ્યા રહી જાય તે માટે આટની ગોળીઓ કે મમરાના પડકાં લઈ જઈને માછલાંને ખવડાપ્યતા.. પશુ ચારે અને પંખીને જારે તો લોકજીવનમાં વણાઈ ગયેલી ચીજ હતી. બહેનો રોટલા ટીપતી વખતે પહેલો રોટલો કૂતરાનો જુદો કાઢતી.એટેલે સુધી કે પાટણ,ખંભાત, વઢવાણ જેવા અનેક ગામોની. પાંજરાપોળોમ જીવાતખાનાંની વ્યવસ્થા રાખવામાં આવતી અને બહેનો અનાજ વીણતી વખતે અનાજમાંથી નીકળેલ ધનેડા, ઈયળ વગેરે જીવાતને તે ભૂખે મરી જાય તે માટે એક વાટકામાં થોડુંક અનાજ નાખી સાચવી રાખતી. મહાજનને માણવા નિયત દિવસોએ ઘરે ઘરે ફરીને એક ડબ્બામાં તે વાટકામાંના અવાજ સાથે જીવાત ઉઘરાવી લઈને પાંજરાપોળમાં આવેલ જીવાતખાનામાં અનાજની વચ્ચે સાચવીને મૂકી રાખતો જેથી અનાજનાં ધનેડાં પણ સુખપૂર્વક પોતાનું શેષ જીવન પરાર કરી શકે અનાજમાં રહેલા ધનેડાની પણ જે દેશમાં આટલી કાળજી રાખવામાં આવતી તે દેશમાં જીવતાજાગતા મોડાસાને પણ ધનેડાની જેમ જીવતા ઉડાવી દેવામાં આવે છે તેવી પરિસ્થિતિનું સર્જન, શિર તુજ આણ વહું....... : ૭3 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy