SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાજી માટે પાષાણ ખાણમાંથી કાઢવા માટે ધોર આરંભ-સારંભવાળા ઈલેક્ટ્રિકથી ચાલતા તોતિંગ મશીનોનો ઉપયોગ શક્ય હોય તો ટાળવો. તે મશીનોના બદલે મજૂરો દ્વારા. ખાણમાંથી પાપણ કઢાવવો. તે કદાચ શક્ય ન બને તો પણ તે પાષાણને બાણના સ્થાનથી પ્રોતાના ગામ સુધી લાવવા માટે યાંત્રિક વાહનોનો ઉપયોગ ટાળવો તે તો વિધિરકિ જીવો માટે શક્ય છે. એકાદ વ્યક્તિએ પખવાડિયા કે મહિનાના સમયનો ભોગ આપીને ઊંટગાડી, બળદગાડી કે ઘોડાગાડી વગેરે દ્વારા જ પાષાણ લાવવો. જૂના કાળમાં આ પ્રમાણે થતું. શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક સ્થાને બિરાજમાન કરવા માટે શ્રી આદીશ્વરદાદાની પ્રતિમાં ભરાવવા માટે પાષાણ એ રીતે લવાયેલ. અને ગામે ગામ તે પાષાણનું પણ રામૈયું વામણું થયેલું. આમ વિધિપૂર્વક કરાયેલ અલ્પ પણ કાર્ય અવિધિથી થતાં અનેક કામો કરતાં પણ વિશેષ લાભદાયક થાય છે. માટે ‘આજના જમાનામાં આવું બધું ન થઈ શકે- એવા વિચારોનું ભૂત નીકળી જાય તો અલ્પ આરંભ અને જમણાથી અત્યારે પણ આ શક્ય બની શકે તેમ છે. જેમ મંદિર બંધાવવામાં પાણી ગાળીને જ વાપરવું જોઈએ. અન્યથા તે સ્વરૂપહિઁ ને બદલે હેતુ હિંસા બની જાય તેમ આવા અજયણાયુક્ત યાંત્રિક વાહનોના ઉપયોગથી પણ હેતુહિંસા (અને આ કાળમાં બધું ચાલે, એવો ભાવ આવી જાય તો અનુબંધહિંરા પણ) લાગે તેમ રામજાય છે. માટે બહુ સાવધ રહેવાની જરૂર છે. પ્રતિમાજી ભરાવીને અંજન કરાવ્યા વિના ઘરમાં રાખવા તે ઠીક ગણાય હીં. તેને બદલે મુખ્ય દ્વારની બા૨-શાખમાં દર્શનાર્થે દ્વીર મૂર્તિ (કાંષ્ઠાદિકની) રાખવાનું વિધાન હોવાનું ખ્યાલમાં છે. તદુપરાંત દેશી રંગો દ્વારા પ્રભુજીનાં ચિત્રો ચિતરાવીને પણ રાખી શકાય. દેવ કે ગુરુના ફોટા રાખવા તે જરા પણ ઉચિત જણાતું નથી. . Jain Education International ચક્ષુ માટે સાચા સ્ફટિકનો પત્થર વધુ યોગ્ય જણાય છે. રાજકોટના મીનાકારી ચક્ષુમાં જે મીનાકારી વપરાય છે તેમાં પણ કેમિકલ્સના રંગો વપરાતા હોવાની સંભાવના છે. રાક્ષુ, ભ્રમર કે ઓષ્ઠાદિ માટે તુચ્છ કેમિકલ્સની વસ્તુઓ ન વાપરવી. ટીકા તો સોનાચાંદીના જ બનાવવા યોગ્ય જણાય છે. પ્રભુ પૂજામાં વપરાતું બારા પણ હાલ મોટે ભાગે કેમિકલ્સની બનાવેલ હોય છે અને તેથી તે પ્રતિમાને ગરમ પડતું હોય છે. અસલમાં શુદ્ધ ભમરોની બરારા આવતું તેનાથી તથા ચંદનથી, પ્રતિમાજીને વિલેપન કરવાથી શીતળતા થાય છે અને તે શીતલ પડની ઉપર ઉષ્ણ ગુણવાહક કેરારાદિથી પૂજા થાય તો પણ પ્રતિમાજીને સીધો ઉર્ગદ્રવ્યનો સંરાંગ થતો ન હોવાથી ઘરારો થવાની શક્યતા જણાતી નથી. ઉપાશ્રય અંગે : 1. ઉપાશ્રયનું બાંધકામ જૂના ઉપાશ્રયોની જેમ એવી રીતે કરાવવું કે ચારે બાજુ તુજ અણ હું.. શિર ૪૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy