________________
? શુભાશીર્વાદ ૬
ભક્તિ કો પ્રેમ મેં બહા દો, કૃષ્ણ બન જાઓગે, ભક્તિ કો ધ્યાન મેં બહા દો, બુદ્ધ બન જાઓગે, ભક્તિ કો કરુણા મેં બહા દો, મહાવીર બન જાઓગે, ભક્તિ કો પ્રભુ મેં બહા દો, ભગવાન બન જાઓગે.
શુદ્ધાતમ ઉપયોગને પ્રગટ કરવા વિરતિમાં ડાહ્યા બનવાનું છે અને ભક્તિમાં ગાંડા બનવાનું છે. ભક્તિ અને વિરતિની પાંખે જીવાત્મા મુક્તિ તરફ ઉડ્ડયન કરે છે. જિનશાસનનાં અસંખ્યયોગોમાં આબાલ-ગોપાલ જોડાઈ શકે તેવો યોગભક્તિયોગછે!
જે સમયમાં બાળકો લેશનમાં, યુવાનો વ્યસનમાં, વ્હેનો ફેશનમાં અને ભાઈઓ ટેન્શનમાં ડુબી રહ્યા હોય... ચારેય બાજુ ‘ડુબાણું ડોલયાણું” નો હાહાકાર મચ્યો હોય ત્યારે “તિષ્ણાણું તારયાણં” એવા પરમાત્માને શરણે જવા... રહેવા... પરમાત્માને મળવા... પરમાત્મામાં ભળવા પંન્યાસશ્રી મુનીશરત્નવિજયજી અને પંન્યાસશ્રી જીવેશરત્નવિજયજી દ્વારા સંપાદિત, આ પુસ્તિકા ઉપયોગી બનશે.
એમણે અપાર પરિશ્રમ કરી અનેકવિધ વંદનાવલીઓની સંકલના કરી છે. એની અનેક આવૃત્તિઓ છપાઈ ચૂકી છે. અંતે પરમાત્મ ભક્તિમાં ઓળઘોળ થઈ વિરતિના પંથે સહ મુક્તિવરે. એજ શુભમંગલકામના...
Jain Education International
આચાર્ય ગુણરત્નસૂરિ આચાર્ય રશ્મિરત્નસૂરિ
Use Only
aary.org