________________
સહેલી નથી મારી સફર...
(રાગ- માતા સરસ્વતિ) સહેલી નથી મારી સફર પહોંચાડવા તારા સુધી
શંખેશ્વરા...પરમેશ્વરા..(૧) અડખેને પડખે આ ડુંગરા આ કોતરોને કંદરા,
કંટક ભર્યા રસ્તા ભલે, સંભાળ લ્યો મારી જરા, તડપુ જીવનભર મુજખબર, હોંચાડવા તારા સુધી શંખેશ્વરા...(૨)
તારા ચરણની છાપને હું શોધતો ક્યાં છો તમે વનકુંજ માં જોવા તને, મુજ બહાવરા નયનો ભમે, તારા સુધીની આ કેડીને લંબાવજો મારા સુધી શંખેશ્વરા... (૩)
રાત્રી થઈ તારા ખીલ્યા, ને ચોતરફ અંધકાર છે,
નહિ રોશની નહિ ચાંદની, ને ભયતણો ઓથાર છે, ઉદયાચલે થી ઉજાસને પથરાવજો મારા સુધી શંખેશ્વરા...(૩)
શંખેશ્વરના રવાણી મારા શંખેશ્વરના સ્વામી મારા, શું કરું વાલા તારા નામે પ્રગટે જીવનમાં અજવાળા... શું...૧ તારૂ દર્શન મુજને વ્હાલા જિમ ચકોરને ચંદ, તારા સ્મરણો સાચવી રાખું, રુદીયામાં અકબંધ, મારા શિર પર હાથ મુકોને, નાથ સુવાળા ... શું...૨ જનમ જનમની પ્રીતિનો આ, જો જે તૂટે ના તંત, વિતરાગી તું તો ય પ્રભુજી, નીભાવજે સંબંધ, ભવ જંગલમાં ભટકી રહેલા, મારા રખવાળા ... શું...૩
Jain Educatie International
For Perso Cesae Use Only
(ss
www.jaineliary.org