________________
દાસને પ્રભુનો જવાબ
(રાગ : બસ યહી અપરાધ;) દાસને પ્રભુએ હવે ઉત્તર ખરો દીધો, ભક્તને ભગવાન બનવા માર્ગ આ કીધો, મેં સહન જેવું કર્યું, તિમ તું પણ સહન કરે, આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે...૧
સાધના કરવી નથી, બસ વાત કરવી છે, સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે,
ધર્મ જે હાઠે વસ્યો, તે હૈયેલાવી દે.. આજ.૨ પ્રીત આ સંસારની જો તું નહીં તોડે, જૂર આ કર્મો પછી ક્યાંથી તને છોડે, રક્તના હર બુંદમાં મુજને વસાવી લે. આજ.૩
ભોગ સુખમાં લીન તું, મુજને સ્મરે ક્યારે ? માર પડતા કર્મની, મુજને તું સંભારે,
સુખભર્યા સંસારથી પણ જો તું કંટાળે. આજ.૪ સ્વપ્નમાં પણ પાપથી જો તું નહીંધ્રુજે, ધર્મની વાતો પછી ક્યાંથી તને સુઝે, ના મને માને ભલે પણ મારું જો માને. આજ.૫
દોહિલો માનવ જનમ ક્યારે ફરી મળશે ? મોક્ષ ને વૈરાગ્યની ક્યાં વાત સાંભળશે? જિંદગીની હર ઘડીમાં ‘હીર’ લાવી દે. આજ.૬
Jain E
ation International
For Persona
Pevate Use Only
www.jainelisary.org