________________
ઝગમગતાં તારલાનું દેરાસર હોશે
वसम्महर पारवताय
ઝગમગતા તારલાનું દેરાસર હોશે, એમા મારા પ્રભુજીની આંગી રચાશે, સુંદર સોહામણી મુરત હો જો, એમાં મારા પ્રભુજીની આંગી રચાશે....(૧)
અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું,
રૂપાથી સુંદર હિરલા હોશે, એમાં મારા પ્રભુજીની...(૨) અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું, ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓથી સુંદરડમરો હોશે, એમાં મારા પ્રભુજીની...(૩)
અમે અમારા પ્રભુજીને મંદિરમાં પધરાવીશું, મંદિરમાં પધરાવી અમે હૈયામાં પધરાવીશું, હૃદય સિંહાસને બેસણાં હો જો . એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોશે. ઝગમગતાં.... (૪)
Jain Ecation International
For Pere2 Eerkate Use Only
www.
j
ary.org