________________
( વિભાગ - ૨)
હૃદયસ્પર્શી વેદનાશીલ ગીતો
કર્મો કરેલાં મુજને કર્મો કરેલાં મુજને નડે છે, હૈયું હીબકાં ભરીને રડે છે, જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા મથું તો મરાતું નથી,
હો...હો...હો..હો..હા...હા...હા...હા.. કર્મો કરેલાં...૧ કોઈ જન્મે કરમુ મેં હસીને કર્યા, આંસુડા આજ મારા નયનમાં ભર્યા,
મેં પ્રયાસો કર્યા માણવા જિંદગી,
કર્મ મુજને સફળ ના થવા દે ફરી... કર્મો કરેલાં. ૨ જિંદગી ના મળે મોત આવે અગર, મોત પણ ના મળે કર્મ તૂટ્યા વગર,
જાણ હો’તી મને આ પરિણામની, તો કરત નહિ હું સંગત બૂરા કામની... કર્મો કરેલા...૩
એક ઘડી પ્રભુ એક ઘડી પ્રભુ ઉર એકાંતે, આવીને નેવે મળે, સોનામાં સુગંધ ભળે, સોનામાં સુગંધ ભળે... ખોયું હોય જીવનમાં જે જે, પાછુ આવી મળે, જયાં જ્યાં હાર થઈ જીવનમાં, ત્યાં ત્યાં જીત મળે, સોનામાં..૧
ના કાંઈ લેવું, ના કાંઈ દેવું, ચિંતા એની ટળે, ના હોય જીવન ના હોય મૃત્યુ, ફેરા જો ભવના ટળે, સોનામાં...૨
Jain E
cation International
For PerereBeate Use Only
W
e library.org