________________
ઉગ નહીં, વિશ્રામ નહીં, પણ પ્રબલતમ ઉલ્લાસથી, ને ભાવના ભાવિત બની, ચૈતન્યના અભિલાખથી; મહાવ્રતતણા મહાભારને, અંતરભર્યા ઉત્સાહથી, મમ ખંધ ઉપરે વૃષભ પરે, ક્યારે ધરીશ? ક્યારે ધરીશ...૪ વસતા થકા ગુરુસંગતે, વિણસે પ્રકારો પાપના, જે નિવાસમાં વસ્યા હતા ને, વસી રહ્યા મુનિવર ઘણા; ગુરુકુલતણાં એ વાસમાં, કરી વાસ પામી સુવાસના, દુરભિ અનાદિ મલ તણી કયારે હરીશ ? જ્યારે હરીશ ?...૫ અજ્ઞાનથી, આવેશથી કે પ્રમાદથી, ઉન્માદથી, બનું માર્ગથી ભૂલો પડી ઉન્માર્ગનો જયારે પથી; કરી સારણાને વારણા વળી ચોયણા પડિચોયણા, વારે મુનિ તેને ગુણી કયારે ગણીશ? કયારે ગણીશ?...૬ આકુળતા વ્યાકુળતા ને, વ્યગ્રતા મન નયનની, એકાગ્ર કરી ઉપયોગને, તજી ચપળતા પણ વચનની; રાણ હાથ ભૂમિ પેખતો જીવ જતનને હિયડે ધરી, ઈર્યા તણું પાલન સરસ, ક્યારે કરીશ ? ક્યારે કરીશ ?..૭ જો કાર્ય નીપજે તો જ વદવું; ટેક એ ક્યારે ધરીશ ? મીઠા મધુરા હિતભર્યા, રૂડાં વચન કયારે વદીશ ? નિદોષ ભિક્ષા ભીખતો, મધુકર સમો કયારે થઈશ ? અણગાર સાચો વીરનો, કયારે બનીશ ? કયારે બનીશ?...૮ સંયમતણાં સહુ સાધનો, લેવાં પડે મૂકવાં પડે, તવ દષ્ટિથી દેખી કરી, પૂંજી શ રજો હરણ વડે ;
la ternational
૯૮. For Personal & Private Use Only
Jain Education Inernational
www.jainen rary.org