SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ વડોદરાનાં જિનાલયો ગામ : વાલોઠી જિલ્લો : વડોદરા ૭૩. શ્રી મહાવીર સ્વામી જિનાલય વડોદરા જિલ્લાના વાલોઠી ગામમાં શ્રી મહાવીરસ્વામીનું એક શિખરવાળું દેરાસર આવેલું છે. બે ગર્ભદ્વાર દ્વારા ગભારામાં પ્રવેશતાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની ૧૯" ની ૧ પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ મૂર્તિ બિરાજમાન છે. આચાર્ય શ્રી ઈન્દ્રન્નિસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ છે. વૈશાખ સુદ ૧૦, દેરાસરની વર્ષગાંઠ તિથિ નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ શેઠ શ્રી શ્રીમલભાઈ જૈન (મુંબઈ) પરિવારના હસ્તે દર વર્ષે ધ્વજા ચઢાવવામાં આવે છે ઉપાશ્રયનું બાંધકામ ચાલુ છે. પાઠશાળા હાલમાં બંધ છે. ગામમાં હાલ આશરે ૨૦ થી ૨૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગામમાંથી ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ગામ : ધનીયા ઉમરવા તાલુકો : નસવાડી ૭૪. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સં. ૨૦૫૦) નસવાડીથી ૨૦ કિ. મી.ના અંતરે આવેલા ધનીયા ઉમરવા ગામમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં શ્રી મુનિસુવ્રતસ્વામીની ૧૪" ની પ્રતિમા સહિત કુલ ૩ પાષાણ પ્રતિમાઓ ઉપરાંત ૧ ધાતુ મૂર્તિ બિરાજમાન છે. આચાર્ય શ્રીમદ્વિજયઇન્દ્રન્નિસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં વિ. સં. ૨૦૫૦ના મહા વદ - ૫ ને દિવસે છોટાઉદેપુર નિવાસી શ્રી અનિલભાઈ રસીકલાલ શાહ પરિવારના હસ્તે મૂળનાયક પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. જિનાલયની બાજુમાં એક દેવકુલિકામાં શ્રી માણિભદ્રવીરની પ્રતિમા બિરાજમાન છે. વર્ષગાંઠને દિવસે ચડાવો બોલીને ધ્વજા બદલવામાં આવે છે તથા જમણવાર પણ રાખવામાં આવે છે. દેરાસરનો સંપૂર્ણ વહીવટ શ્રી વિજયઇન્દ્ર જૈન સેવા સમાજ હસ્તક છે. જિનાલયનો સમય સં. ૨૦૫૦નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy