SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ :~> ત્રિભુવનપાલના નામ પરથી ‘ત્રિભુવનવિહાર' નામનું જિનાલય બંધાવી તેમાં પાર્શ્વનાથ જિનની પ્રતિષ્ઠા કરાવેલી. (‘કુમારપુર’નું ‘વાગ્ભટ્ટપુર' એવું નામાંતર પણ મળે છે અને ‘ત્રિભુવનપાલવિહાર’તું પંદરમા શતકથી ‘કુમારવિહાર' નામ પડી ગયાનું જણાય છે.) આ સિવાય પાલિતાણાની સીમમાં મંત્રીશ્વર વસ્તુપાલે પેાતાની પ્રથમ પત્ની લલિતાદેવીના નામ પરથી ‘લલિતાસર’ નામક તળાવ બંધાવેલુ અને તેની પાળ નજીક ભગવાન મહાવીરનું મંદિર કરાવેલું. હાલના, શ્રી વધું માન જૈન આગમ-મદિરની પાછળના ભાગમાં તે હતું અને સેાળમા શતક સુધી તે તે વિદ્યમાન હાવાના નિર્દેશ કરતા ઉલ્લેખા પણ મળે છે. તળેટીમાં પ્રાચીન મદિર હોવાના ઉલ્લેખ યાત્રાના પ્રારંભ તરીકે જ્યાં પહેલું ચૈત્યવંદન કરીને તીને વંદના કરવાની પરપરા છે, તે શત્રુંજયની તળેટી( જયતળેટી )માં જ્યાંથી ચઢાવ શરૂ થાય છે, ત્યાં આગળ (માટે ભાગે તેા હાલ જ્યાં મુર્શિદાબાદવાળા ખાખુ ધનપતસિંહનું મંદિર છે ત્યાં આગળ ) આશુક મત્રીએ ખારમા શતકના બીજા ચરણમાં, લગભગ વિ॰ સ૦ ૧૧૭૬-૮૬ (ઈસ૰૧૧૨૦-૩૦) વચ્ચેના ગાળામાં, ભગવાન નેમિનાથનુ મંદિર બંધાવેલું, જેનેા છેક સેાળમા શતક સુધી પરિપાટીકારા ઉલ્લેખ કરતા આવ્યા છે. નવી પાજ તળેટીથી ઉપરનાં મમરા સુધી ચઢવા માટે મંત્રી તેજપાળે વિ॰ સ’૦ ૧૨૮૮(ઈ સ૦ ૧૨૩૨)માં અણઘડ પથ્થરા દ્વારા ‘સંચારપાજા’ કરાવેલી. સીએના ઘસારાથી દુર્ગમ અનેલી એ પાજને સ્થાને શેઠ આણંદજી કલ્યાણજીએ, ઘેાડાં વર્ષો પહેલાં, મજબૂત પથ્થરની, પહેાળાં અને સરળ ચઢાવવાળાં પગથિયાંયુક્ત પાજ ખાંધી છે. (જૂની પાજને કેટલાક ભાગ ડુંગર ઉપર હીંગળાજના હડે, લગભગ હજારેક ફીટ જેટલ ચઢયા બાદ, આજે પણ જોવા મળે છે.) વચમાં આવતાં દેવસ્થાને જયતળેટીથી ચઢવાનું શરૂ કરતાં માર્ગમાં પહેલા હડાની પરખ પછી, ને જ્યાં બીજો હડા પૂરા થાય છે ત્યાં, ભરત ચક્રીનાં વિ॰ સ’૦ ૧૭૪૧ ~~~~~ ~ ~ - Jain Education International For Personal & Private Use Only ૪ 00 www.jainelibrary.org
SR No.005600
Book TitleTirthadhiraj Shree Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1975
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy