________________
WE TE
સ્થાન મનાય છે. અહીં એક કાળના, આદીશ્વર ભગવાનના, પ્રાચીન મદિરનું ઉડ્ડયન મંત્રીના પુત્ર અમાત્ય વાગ્ભટ્ટે વિ॰ સ૦ ૧૨૧૩ (ઈ॰ સ૦ ૧૧૫૭) માં નવનિર્માણ કરાવેલું. ત્યારપછી મંત્રીશ્વર વસ્તુપાળે મંદિરના સામેના ભાગમાં સત્યપુરમ`ડન મહાવીર અને ભૃગુકચ્છવિભૂષણ મુનિસુવ્રત જિનનાં મદિરા કરાવેલાં, તેમ જ પ્રસ્તુત શકુનિચૈત્યની પાછળ અષ્ટાપદ્મતી અને સત્યપુરાધીશના મંદિરની પાછળ વિશ્વારાધ્યા ભગવતી વાવી–સરસ્વતીનાં ભવના કરાવેલાં. વસ્તુપાળ પછી પચીસેક વર્ષ બાદ માટા મંદિરની બાજુમાં કયાંક પીથડ મંત્રીએ કોટાકોટિ જિનનું મંદિર કરાવેલું. મંદિરને ફરતા જગતીના કાટને અડીને મંત્રીશ્વર વસ્તુપાળે કેટલીક દેવકુલિકાએ કરાવેલી, તેમાં મંત્રીશ્વર ઉદયનના વંશજોએ વિ॰ સ૦ ૧૩૦૫ (ઈ॰ સ૦ ૧૨૪૯) અને એ જ અરસામાં કચ્છના દાનવીર જગડુશાએ દેરીએ ઉમેરી. આ તમામ રચનાઓ તેમ જ મૂલ મંદિર સામેનું ખલાક વિ॰ સ૦ ૧૩૬૯ (ઈ સ૦ ૧૩૧૩)માં ખડિત થતાં સમરાશાના જીર્ણોદ્ધાર સમયે જુદા જુદા શ્રાવકાએ ફરી કરાવેલુ. સમરાશાના પિતા દેશળશાએ ત્યાં આગળ ‘દેશળ-વિહાર’ કરાવેલેા. સલ્તનતકાળે ફરીને આ બધાં મંદિરા ખડિત થતાં શહેનશાહ અક્બરના સમયમાં અને ત્યારપછી પણ, જૂનાં મંદિરને સ્થાને આ ટૂંકમાં નવાં મંદિરા બન્યાં, જે વિષે આગળ જોઇશુ.
દેવળાના સમૂહની વચ્ચે શે।ભતું ભગવાન આદીશ્વરનું મંદિર એ ગુજરાતનાં મધ્યમ કક્ષાનાં મંદિરામાં સૌથી મેાટાં મંદિરામાંનું એક છે. તેની પીઠ તેમ જ ‘ મંડાવર’(ભિત)નેા ઘણાખરા ભાગ મંત્રી વાગ્ભટ્ટના સમયનો છે; જ્યારે તેનાં ભદ્ર-ગવાક્ષેા સમરાશાના જીર્ણોદ્ધાર સમયનાં છે (ચિત્ર ૫); અને ગૂઢમંડપનાં ચાકીઆળાં તેજપાલ સોનીએ કરાવેલ ઉદ્ધાર સમયનાં છે (ચિત્ર ).
મૂળમંદિર અને ગૂઢમંડપ સોલંકીયુગની મારુ-ગુર્જર શૈલીના વાસ્તુ-નિયમે અનુસારનાં ઘાટ અને અલકાર ધરાવે છે. તેની જ ઘામાં દિક્પાલા, યક્ષીએ –વિદ્યાદેવીએ અને અપ્સરાઓની કેટલીક મનોરમ મૂર્તિએ શેાભી રહી છે.
R LAG JANG
Jain Education International
For Personal & Private Use Only
UNG
૦૦૦૦
૧૨
www.jainelibrary.org