________________
પાટણનાં જિનાલયો
આદીશ્વર ગોદડપાટકેડહં, ગણાધિનાથં કિલ પુંડરીકમ્ |
ભજ્યા નમામીહ ચ નેમિનાથ, ચતુર્મુખ તીર્થકરેંદ્રબિંબમ્ ૩ જો કે આ એક સંયુક્ત જિનાલય હતું કે અલગ-અલગ જિનાલય તેવી સ્પષ્ટતા થઈ નથી. પરંતુ ત્યારબાદ તુરત જ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તેનો એક જ (સંયુક્ત) જિનાલય તરીકે નિર્દેશ થયેલો છે. તે સમયે ગોદડશાહનો પાડો – એ મુજબના નામનો ઉલ્લેખ મળે છે. જિનાલય ધાબાબંધી હતું અને એકસો બાવીસ આરસપ્રતિમા બિરાજમાન હતી. આટલી મોટી સંખ્યામાં આરસની પ્રતિમાઓ બિરાજમાન હોય એ જિનાલયની ભવ્યતા પાટણના જૈન ઇતિહાસની પરંપરામાં ગૌરવપ્રદ ગણાય. જિનાલયની સ્થિતિ તે સમયે સારી હતી.
સં. ૧૯૬૭માં તથા સં૧૯૮૨માં ગોદડનો પાડો વિસ્તારમાં આદેશ્વર, નેમિનાથ, ચંદ્રપ્રભસ્વામી તથા ચૌમુખજી – એમ સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૮માં પણ તે મુજબ જ સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે અને આજે પણ આ જિનાલયમાં આદેશ્વર, નેમિનાથ, ચંદ્રપ્રભસ્વામી તથા ચૌમુખજી બિરાજમાન છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગોદડનો પાડો વિસ્તારમાં આદિનાથનું આ જિનાલય ઘુમ્મટબંધી દર્શાવવામાં આવેલું છે. તે સમયે ત્રેપન આરસપ્રતિમા અને સાડત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત આરસના ચોવીસજિનના બે પટ તથા વીસવિહરમાનના એક પટનો પણ ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટદાર તરીકે શેઠ હીરાલાલ કલાચંદ સેવાઓ આપતા હતા.
આજે જિનાલયનો વહીવટ મુંબઈસ્થિત શ્રી રાજેન્દ્રભાઈ હીરાલાલ સફારી, શ્રી અતુલભાઈ જયંતિલાલ સફરી, શ્રી રમેશભાઈ પરસોત્તમદાસ સફરી તથા શ્રી વીરેન્દ્રભાઈ રસિકલાલ સફરી અને ગોદડના પાડામાં જ રહેતા શ્રી શૈલેષભાઈ કાંતિલાલ સફરી હસ્તક છે. પૂર્વે જિનાલયનો વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક હતો.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય.
મહાલક્ષ્મીમાતાનો પાડો મુનિસુવ્રતસ્વામી (સં. ૧૭૨૯થી સં. ૧૭૭૭ દરમ્યાન) મહાલક્ષ્મીમાતાના પાડે અંદર જતાં ખૂણામાં ત્રણ શિખરવાળું મુનિસુવ્રતસ્વામીનું પ્રાચીન જિનાલય આવેલું છે. જિનાલયમાં બે દેવકુલિકાઓ આવેલી છે.
જિનાલયના બહારના ભાગમાં પ્રવેશદ્વાર તથા પ્રવેશચોકીમાં આવેલાં સુંદર કલાકૃતિવાળાં શિલ્પો જિનાલયની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. બે પ્રવેશદ્વાર પૈકી દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org