________________
૫૧૨
આચાર્યશ્રી જમ્મૂવિજયજી મહારાજ :—
“ખંભાતનાં જિનાલયોનું પુસ્તક જોઈ બહુ આનંદ થયો. જોતાંવેંત લાગ્યું કે આવાં પુસ્તકો વિવિધ સ્થાનો તથા તીર્થો વિશે બહાર પડવાં જોઈએ.”
ખંભાતનાં જિનાલયો ગ્રંથ વિશેના અભિપ્રાયો
આચાર્યશ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ :—
“ગ્રંથમાં પ્રાચીન / અર્વાચીન માહિતીઓનું વિશ્લેષણ સરસ થયું છે. આ રીતે તુલનાત્મક પદ્ધતિથી પાટણ / સુરત વગેરે મોટાં શહેરોના સ્વતંત્ર ગ્રંથો બહાર પાડવાના જ હશો જે અત્યંત જરૂરી છે.
ગ્રંથ માટે કરેલી તમારી મહેનતને ખૂબ ખૂબ ધન્યવાદ.”
આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ :—
66
પાટણનાં જિનાલયો
Jain Education International
છે. ઉપયોગિતાની ષ્ટિએ તો કોઈ ઉપમા નથી. ધન્યવાદ !'
‘ખંભાતનાં જિનાલયો’ ગ્રંથ મળ્યો છે. ખૂબ જ યશસ્વી કામ થયું
આચાર્યશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ :—
“ખંભાતનાં જિનાલયો ગ્રંથ મળ્યો. ખૂબ સરસ મુદ્રણ, આકર્ષક લે આઉટ, તથા સમૃદ્ધ લખાણ એમ બધાં પાસાંથી ગ્રંથ ઉત્તમ બન્યો છે. ચિત્રો સારાં મુકાયાં તથા છપાયાં છે. ફોટોગ્રાફીના એંગલ ખૂબ સારા લેવાયા છે.’
શ્રી એચ. સી. ભાયાણી :—
“ખંભાતનાં જિનાલયો એ પુસ્તકમાં
લેખકે જૈન પરંપરાની અને
ઇતિહાસની દૃષ્ટિએ ઘણી ઉપયોગી સામગ્રી પ્રસ્તુત કરી છે. લેખકને પૂરા પરિશ્રમથી આ સંશોધન-ગ્રંથ તૈયાર કરવા માટે અને શેઠ આણંદજી કલ્યાણજીને આ પ્રકાશનમાં પુસ્તકનિર્માણની ઊંચી કક્ષા જાળવવા માટે ધન્યવાદ.”
For Personal & Private Use Only
www.jainelibrary.org