________________
પાટણનાં જિનાલયો
૩પ૯
પાટણની ધર્મશાળાઓ ક્રમ ધર્મશાળાઓ
રૂમોની વિશેષ નોંધ
સંખ્યા ૧. શેઠ શ્રી કેશવલાલ જેશંગલાલ જૈન ધર્મશાળા ૨૦ આધુનિક સુવિધાવાળી. ૨. શ્રી અષ્ટાપદજી જૈન ધર્મશાળા
૧૫ ૩. મોહનલાલ ઉત્તમચંદ જૈન ધર્મશાળા
૮ ૪. શેઠ પાનાચંદ ઉત્તમચંદ કોટાવાલાની ધર્મશાળા ૨૧ જે પૈકી ૧૦ રૂમો યાત્રાળુઓ
માટે ઉપલબ્ધ છે. ૫. શાહ પ્રમોદકુમાર કેશવલાલ જૈન અતિથિગૃહ ૧૯ આધુનિક સુવિધાવાળી.
, પાટણની ભોજનશાળા શ્રી પાટણ જૈન પંચાયત ફંડ સંચાલિત શેઠાણી હીરાલક્ષ્મી પુનમચંદ કોટાવાલા જૈન ભોજનશાળામાં એક સાથે ૬૦ વ્યક્તિઓ જમવા બેસી શકે તેવો મોટો હોલ છે. રોજ સરેરાશ ૨૫૦ વ્યક્તિઓ યાત્રાળુઓ ભોજનશાળાનો લાભ લે છે. પાટણમાં આ એક માત્ર ભોજનશાળા યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ છે.
પાટણની આયંબિલશાળા શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થાની શરૂઆત સં. ૧૯૮૧ આસો સુદ ૩ના દિવસે શ્રી પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર પાસે શેઠ કરમચંદ પંજાચંદની ધર્મશાળામાં શરૂ કરવામાં આવી હતી. સં. ૨૦૦૭માં આ સંસ્થા બંધારણીય બની અને તેની ઑફિસ મુંબઈ ખાતે રાખવામાં આવી છે. હાલ આ સંસ્થામાં દર વર્ષે ૧૨,૦૦૦ (બારહજાર) આયંબિલ થાય છે. તથા પાંચ થી છ હજાર સાધુ સાધ્વીજીનો પણ લાભ મળે છે. પાટણ શહેર સાધુ સાધ્વીજીને ધાર્મિક અભ્યાસ કરવાનું ઉત્તમ સ્થાન હોવાથી બારેમાસ લગભગ ૧૦૦ સાધુ સાધ્વીજીની સ્થિરતા હોય છે. તેઓ માટે ઉકાળેલા પાણીની પણ સંપૂર્ણ સગવડ રાખેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org