________________
પાટણનાં જિનાલયો
૩પ૩
વારસો આપ્યો છે. આવા જગવિખ્યાત પુરુષનું નામ આ જ્ઞાનમંદિર સાથે જોડી તેમનું કાંઈક ઋણ અદા કરવામાં આવ્યું છે. પાટણની સ્થાપના થઈ ત્યારથી આજે ૧૨૦૦ બારસો વર્ષે પણ પાટણની પ્રજા આ જ્ઞાનભંડારોને લઈને અભિમાન સેવે છે.
તાડપત્ર તથા કાગળ ઉપર જુદા જુદા સમયે લખાયેલા આવા ૨૪000 ગ્રંથોની મહત્ત્વની જરૂરી વિગત સાથેની સૂચિ-યાદી પૂ. આ. પ્ર. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે અનેક સહકાર્યકરો-જાણકારોની મદદથી જાત દેખરેખ નીચે તૈયાર કરાવી હતી.
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર તથા પાટણના અન્ય જ્ઞાનભંડારોમાંના હસ્તલિખિત ગ્રંથોની સૂચિનો ગ્રંથ આ. શ્રી જખ્ખવિજયજીએ સંપાદિત કર્યો છે. Catalogue of Manuscripts of Patan Jain Bhandara Part 1, 2, 3 and 4 - 2i4 41231-i ziaristan hled આપતો અમૂલ્ય ગ્રંથ છે.
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર એ પાટણની જૈન પરંપરામાં જ્ઞાનની ઉપાસનાના માહાભ્યનું પ્રતીક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org