________________
પાટણનાં જિનાલયો
૨૪૭
જન્મ કલ્યાણક, ભગવાનની દેશના ઇત્યાદિ પ્રસંગચિત્રો.
ટ્રસ્ટીશ્રીના જણાવ્યા મુજબ જિનાલય ભૂતકાળમાં હતું તેમજ છે. શિલ્પો, સ્તંભો કે કમાનો અને કોતરણી એમ જ રાખવામાં આવ્યાં છે. અર્થાત્ કલાકારીગરી પ્રાચીન છે. તેમાં કશો ફેરફાર જીર્ણોદ્ધાર વખતે કરવામાં આવ્યો નથી.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં નારિંગપુર નામના વિસ્તારમાં પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
નારિંગપુરિ વંછી કરણ, ચરચિસુ કુસમહ માલ ત. ૧૯ ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં નારિંગપુર વિસ્તારમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
નારિંગપુર શ્રી પાસદેવ સવિ સંકટ ચૂરિ વીસ બિંબ તિહાં ભાવયો સેવક સુખ પૂરઇ જિનમંદિરની માંડણી સષા પપુ સાર
નાનાવિધ પુરસી તણા ચિત્રામ અપાર એટલે કે તે સમયે આ જિનાલયમાં વિપુલ પ્રમાણમાં ચિત્રકામ થયેલું હતું,
ત્યારબાદ સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં નારંગાનો પાડો વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ નારંગા પાર્શ્વનાથ તરીકે થયેલો છે. ઉપરાંત તે સમયે એક ઘરદેરાસર પણ વિદ્યમાન હતું જેના નામનો ઉલ્લેખ નથી પણ શોભીના ઘરે એવો ઉલ્લેખ છે :
પાટક નારંગઈ આવઆ એ, ભાવીઓ પાસ નિણંદ, નારિંગ પ્રભુ ભેટીઇ એ, ભેટઈ મંગલ હોઇ. નારિંગ પ્રભુ ભેટી. /. ચંદ્રવદન તુલ્મ દેષતા એ, હૂઉ હૃદય ઉલ્હાસ. નારિંગ //પી સૂરિજ કોડિ થકી ઘણઉં એ, દીપઇ તેજ પ્રકાશ. નારિંગ //પ૪ll પૂજઇ પદમા પામીઇ એ, નામઇં આઠઈ સિદ્ધિ. નારિંગ, પપા. બઇયાલીસ પડિમા પરગડી એ, આવ્યા શોભી ગેહિ. ના. //પદી
ત્રીસ ઊપરિ બઇસઇવલી એ, જુહારી મનનઈ ભાવિ. ના //પણા ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારનો ઉલ્લેખ મળતો નથી પરંતુ નારંગા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ વડીપોસાળના પાડામાં મળે છે. એટલે કે નારંગપુર વિસ્તારમાંથી આ જિનાલય વડપોસાળના પાડામાં ખસેડવામાં આવ્યું હોવાનો સંભવ છે. નારંગપુર નામનો વિસ્તાર પાટણની અંતર્ગત હોવાનું સ્પષ્ટ માની શકાય તેમ છે. કારણ કે સં૧૫૭૬ની, સં. ૧૬૧૩ની તથા સં૧૬૪૮ની પાટણ ચૈત્યપરિપાટીઓમાં આ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org