________________
પાટણનાં જિનાલયો
પાટણમાં કેટલીક પરંપરાઓ આજે પણ ખૂબ જ ધ્યાન ખેંચે તેવી છે. ચૈત્ર-આસોની નવપદની ઓળી પૂરી થતાં બીજે જ દિવસે સાલવીવાડાના ત્રિશેરિયુંમાં પ્રભુ નેમિનાથના જિનાલયમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ દર્શનાર્થે આવે છે.
પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના કંપાઉંડમાં આવેલા મહાવીરસ્વામીના જિનાલયમાં નાગની શિલ્પાકૃતિ એક ગોખમાં વિરાજિત છે. શ્રાવણ વદ પાંચમ(નાગ પાંચમ)ના દિવસે અહીં મેળો ભરાય છે. જૈન જૈનેતર કોમ પણ આ નાગના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે. ધૂળેટીએ જૈન બૉર્ડિંગના આદેશ્વરના જિનાલયમાં દર્શનનું મહત્ત્વ છે. જ્યારે ચૈત્રી પૂનમના દિવસે ગોદડના પાડામાં આદેશ્વરના જિનાલયમાં સંભવતઃ પુંડરીકસ્વામીની પ્રતિમાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ આવે છે.
2
પાટણનાં જિનાલયોની આ ભવ્ય પરંપરાની કીર્તિગાથા આપણે જોઈ. પરંતુ કાળનો પ્રભાવ ખૂબ જ વિપરીત અસર કરી રહ્યો છે. જૈન કુટુંબોની સંખ્યા મુખ્યત્વે મુંબઈમાં સ્થળાંતર કરી રહી છે. કેટલાંક જિનાલયોમાં માત્ર એક કે બે કુટુંબો જિનપૂજા કે જિનદર્શન માટે જાય છે. પરિસ્થિતિ એટલી વકરતી જાય છે કે હવે પગારદાર ગોઠીઓના ભરોસા પ૨ જિનાલયોનો વહીવટ કરવો પડે તેમ છે. પાટણનાં જિનાલયોની જાળવણી અને સાચવણી માટે કોઈ કાયમી વ્યવસ્થા થાય તેની તાત્ જરૂર છે. પાટણમાં બે અદ્યતન સુવિધાઓવાળી ધર્મશાળાઓ થઈ છે. તે ધર્મશાળાઓમાં યાત્રાળુઓની અવરજવર વધી છે. પાટણના કેટલાક વતનીઓ પણ આ ધર્મશાળાઓનો લાભ લે છે. ધર્મશાળામાં યાત્રાળુઓની અવરજવરને કારણે ક્યારેક જિનાલયોનું વાતાવરણ ધબકતું રહે છે. પરંતુ મોટે ભાગે જિનાલયોમાં દર્શનાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તેમ છતાં સદીઓથી ચાલી આવતી એક ભવ્ય ઉજ્જવળ પરંપરા હજુ પણ ટકી રહી છે. અને તેને કાળના વિપરીત પ્રભાવની સામે ટકાવવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. પાટણની આ ભવ્ય જૈન પરંપરાના સ્મરણથી ઉન્નત થયેલું મસ્તક અરિહંત ભગવાનનાં ચરણોમાં નમન કરી રહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org