________________
પાટણનાં જિનાલયો
ધાતુપ્રતિમા બિરાજમાન છે. ઉપરાંત એક સ્ફટિકપ્રતિમા પણ છે. મૂળનાયકની જમણી બાજુ આદેશ્વર અને મલ્લિનાથ તથા ડાબી બાજુ પાર્શ્વનાથ અને ધર્મનાથ બિરાજે છે.
શાકો૨ી કુટુંબના શ્રી હાલાભાઈ મગનલાલ શાહનું ઘરદેરાસર અત્રે પધરાવેલ છે. તેમાં મૂળનાયક પણ શાંતિનાથ હતા અને સાથે શ્રી કુંથુનાથ તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ હતી. આ ઘરદેરાસરની પ્રતિમાઓ સં૰ ૨૦૪૩ના વૈશાખ સુદ ૧૩ના તા. ૨૯-૭-૮૮ના શુભ દિને આ જિનાલયમાં પધરાવ્યાનું લખાણ છે. આ ઘરદેરાસર સાથે શાકોરી કુટુંબના કુળદેવીનાં ઉપસાવેલ ચિત્રવાળાં બે રજતપત્રો તથા તેને મૂકવા ચાંદીના છત્રવાળી બે પાટલી પણ છે. સ્થાનિક માહિતી પ્રમાણે અહીં રાજકોટવાળા શ્રી બોબડચંદ વીરચંદ શાહનું ઘરદેરાસર પણ પધરાવેલ છે જેમાં યંત્રો તથા અષ્ટમંગલ સહિત કુલ તેર ધાતુપ્રતિમા હતી. તથા હાલ સં ૨૦૫૯ના માગશર સુદ પાંચમના દિવસે બાલુભાઈ પોપટલાલ તથા શાંતિલાલ પોપટલાલ શાહ પરિવારનું પાર્શ્વનાથનું ઘરદેરાસર અત્રે પધરાવેલ છે.
૧૯૧
જિનાલયની બહારના ભાગમાં જમણી બાજુએ સામરણયુક્ત દેવકુલિકામાં ગુરુમંદિર આવેલું છે. તેમાં ભદ્રંકરવિજયજી મ. સા૰ની પ્રભાવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
“પૂજ્યપાદ પરમપ્રભાવક સંઘસ્થવિર સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન મુજબ તેઓ શ્રીમના પ્રભાવક શિષ્યરત્ન અધ્યાત્મયોગી સ્વ પૂ પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના પાટણ મુકામે રાત્રે થયેલ સમાધિપૂર્ણ કાળધર્મ અનુસંધાને સ્વર્ગસ્થ વાચસ્પતિની સ્મૃતિમાં વૈશાખ સુદ ૧પના થયેલ તેઓશ્રીના પાર્થિવદેહના અગ્નિસંસ્કારની ઉપજમાંથી તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય મુનિ શ્રી વજ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી નગીનદાસ કરમચંદ પૌષધશાળા સ્વ પૂજ્ય મહારાજ સાહેબના જન્મસ્થાનના પોળની શેરીના પરમ પૂજ્ય મહારાજના સ્મારક માટે રૂા.૧,૩૦,૦૦૦|= પ્રાપ્ત થયેલ. બાકીના વધારાના ખર્ચના રૂપિયા પોળની શેરી તરફથી છે.’
સ્વ. શ્રી ભદ્રંકરવિજયજીગણિનું જન્મસ્થાનનું મકાન કે જે દેરાસરની સામે જ આવેલું છે ત્યાં સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ માટે મહોલ્લાવાળા રસોડું ચલાવે છે. વળી શેરીમાં આગળ સાધુસાધ્વી ભગવંતોને ભણવા માટે પાઠશાળા પણ ચાલે છે.
ઐતિહાસિક સંદર્ભ
મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પર સં૰ ૧૬૬૪નો લેખ છે. જો કે સં ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શાંતિનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org