________________
ખ્યાલ આવે તે હેતુથી જિનાલયોનો શક્ય તેટલો વિગતવાર વર્ણન કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. વર્ણન કરતી વેળાએ સૌ પ્રથમ હાલમાં જિનાલય વિદ્યમાન છે તે વિસ્તારની માહિતી આપી છે. આ ઉપરાંત, અત્યારે તે વિસ્તારની સરહદો બદલાઈ હોય કે તે વિસ્તારમાં જિનાલયોની સંખ્યા વધઘટ થવા પામી હોય તો તેની વિગતો કે અનુમાનો આધારભૂત ગ્રંથો તથા ચૈત્યપરિપાટીનાં અવતરણો દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે.
કોષ્ટકમાં પ્રતિમાઓ તથા પટની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણતરીમાં આરસપ્રતિમાની સંખ્યામાં મૂળનાયકની પ્રતિમાની ગણતરી સામેલ છે. જયાં આવી ગણતરી સામેલ કરી નથી ત્યાં સ્પષ્ટતા કરી ગણતરી આપવામાં આવી છે. દેવ-દેવીઓની મૂર્તિઓને ગણતરીમાં સમાવિષ્ટ કરી નથી. માત્ર તીર્થકરોની જ પ્રતિમાઓને ગણતરીમાં સામેલ કરવામાં આવી છે. પ્રતિમાનાં નામ જયાં આપ્યાં નથી અથવા લાંછન દ્વારા ઓળખી શકાઈ નથી ત્યાં તીર્થકર ભગવાનનું નામ આપી શકાયું નથી. એનો ઉલ્લેખ આરસપ્રતિમા તરીકે કર્યો છે. આરસના પથ્થરમાં અથવા સાદા પથ્થરમાં કે કાષ્ટમાં ઉપસાવેલ હોય અથવા ચિત્રાંકન થયેલ પટ હોય તેવા પટોની સંખ્યાને કોષ્ટકમાં ગણતરીમાં લીધેલ છે. તીર્થકરના જીવનચરિત્ર તથા અન્ય પ્રસંગોના ચિત્રકામ અંગેની નોંધ કોષ્ટકમાં મૂકી નથી. જિનાલયના વર્ણનમાં જ્યાં ડાબી બાજુ જમણી બાજુનો ઉલ્લેખ થયો હોય ત્યાં મૂળનાયકની ડાબી બાજુ, મૂળનાયકની જમણી બાજુ સમજવાની છે. જે વિસ્તારમાં એક જ જિનાલય હોય ત્યાં જિનાલયનું વર્ણન, વિસ્તારનું વર્ણન તથા પંક્તિઓ એક સાથે મૂકવામાં આવ્યાં છે. પરંતુ જે વિસ્તારમાં એકથી વધુ જિનાલય હોય
ત્યાં સૌ પ્રથમ તે વિસ્તારનું વર્ણન તથા પંક્તિઓ એક સાથે મૂકવામાં આવી છે. ત્યારબાદ જિનાલયોની વિગતો આપવામાં આવી છે. જિનાલય ઘરમાં હોય કે ઘરદેરાસર તરીકે ગણાતું હોય ત્યાં ઘરદેરાસર શબ્દ પ્રયોજવામાં આવ્યો છે.
સંવતના ક્રમ અનુસાર તથા તીર્થકરના ક્રમ અનુસાર અલગ અલગ યાદી આપવામાં આવી છે.
જિનાલયની સમયનિર્ધારણા કરવી એ કપરું કામ હતું. આ માટે અમે ચૈત્યપરિપાટીઓ, અન્ય સંદર્ભ ગ્રંથો તથા સંદર્ભ નોંધોનો વિનિયોગ કર્યો છે. પ્રાયઃ સૌથી વિશેષ આધારભૂત સ્રોત જિનાલયના મૂળનાયકનો મૂર્તિલેખ કહી શકાય. આથી, વાંચી શકાયું તેટલું લખાણ મોટાભાગના મૂર્તિલેખોમાંથી ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ પ્રતિમાને લેપ કરવામાં આવ્યો હોય, અક્ષરો ઘસાઈ ગયા હોય કે વાંચી શકાયા ન હોય ત્યાં લેખ ઉપલબ્ધ થયો નથી તે મુજબ સમજવાનું છે. તો કેટલેક સ્થળે પ્રતિમાલેખ નથી તેવી નોંધ કરેલ છે.
કેટલીક જગ્યાએ જૈન તીર્થ સર્વસંગ્રહ અને જૈન શ્વેતાંબર ડિરેક્ટરી જેવા સંદર્ભગ્રંથોમાં આપવામાં આવેલી સંવત માન્ય રાખવામાં આવી છે. ઘરદેરાસરો જ્યારે જિનાલયમાં merge થયાં હોય ત્યારે તે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યાં સ્થળનામ બદલાયાં હોય તો પ્રથમ જે સમયે જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો હોય જિનાલય તે સમયનું દર્શાવ્યું છે. જેમ કે આજે ખેતરવસીમાંની મહાદેવાની શેરીમાં વિદ્યમાન મહાદેવા પાર્શ્વનાથનો ઉલ્લેખ સં. ૧૭૭૭માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org