________________
ગામ - અચ્છારી, તાલુકો - ઉમરગામ
૧. શ્રી સુવિધિનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૮૦) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકથી ૨૦ કિ. મી.ના અંતરે, વાપીથી ૬ કિ. મી. તથા કરમબેલે સ્ટેશનથી ૨ કિ. મી. ના અંતરે અચ્છારી ગામ આવેલું છે. હાલ ૧૫ જૈન કુટુંબો અહીં વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ૬ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. અહીં ધર્મશાળા છે જેનો ઉપયોગ ઉપાશ્રય તથા વાડી તરીકે પણ થાય છે. પાઠશાળા ત્યાં જ ચાલે છે. આશરે ૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ગામમાં ૧. શ્રી રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાલા પરિવારનું શ્રી સુવિધિનાથનું ઘરદેરાસર, ૨. શ્રી વાસુપૂજયસ્વામીનું શિખરબંધી જિનાલય તથા ૩. શ્રી રસીકલાલ ઝવેરચંદ શાહ પરિવારનું શ્રી આદેશ્વરનું ઘરદેરાસર – એમ બે જિનાલય તથા એક ઘરદેરાસર આવેલું છે.
શ્રી રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાલાના ઘરદેરાસરમાં ૩” ઊંચી મૂળનાયક શ્રી સુવિધિનાથની ધાતુપ્રતિમા સહિત કુલ બે ધાતુપ્રતિમા છે. કેસરિયાજી તથા શત્રુંજય તીર્થના પટ છે. સ્થાનિક માહિતી પ્રમાણે પ્રતિષ્ઠા શ્રી કેસરસૂરિ મ. સા.ના શિષ્ય પૂ. દેવવિજયજી મ. સા. દ્વારા થયેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કરમબેલેથી ૧ માઈલના અંતરે આવેલા અંછારી ગામમાં ૭૫ જૈન કુટુંબો રહેતા હોવાની તથા શેઠ રાયચંદ ગુલાબચંદને ત્યાં સુવિધિનાથની એક ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. સં. ૧૯૮૦માં શેઠ રાયચંદ ગુલાબચંદે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ પણ તેઓને હસ્તક હતો તથા જિનાલયની સ્થિતિ સારી હતી.
ઘરદેરાસરની જૂની વર્ષગાંઠ વૈશાખ વદ છઠ છે અને હાલ મહા સુદ પાંચમ છે. વહીવટ શ્રી અશોકભાઈ શાંતિલાલ અચ્છારીવાલા હસ્તક છે.
સં. ૧૯૮૦માં ઘરદેરાસર બંધાયું હોવાની નોંધ સં. ૨૦૧૦માં થયેલ છે. તે સંદર્ભમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org