________________
૨૭૪
સુરતનાં જિનાલયો
યશોભદ્રસૂરિ મ. સા. તથા શુભંકરવિજયજીગણિની નિશ્રામાં શા ખૂમચંદ રૂપાજી નૌગામાવાળા પિરવાર દ્વારા થયેલ છે.
આરસની શિખરયુક્ત છત્રીમાં મધ્યે ૧૯” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની પ્રતિમા બિરાજે છે. સં. ૧૯૫૫નો લેખ છે. ડાબી બાજુ શાંતિનાથ તથા જમણી બાજુ પદ્મપ્રભુ છે. કુલ ત્રણ આરસપ્રતિમા છે તથા ચાર ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખજી છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
વૈશાખ સુદ આઠમને વર્ષગાંઠને દિને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી નૌગામા જૈન શ્વે. મૂ. પૂર્વ સંઘના ટ્રસ્ટીઓ – શ્રી મોહનલાલ છગનલાલ શાહ, શ્રી ઠાકોરભાઈ ડાહ્યાભાઈ શાહ તથા શ્રી ચંપકભાઈ શાહ હસ્તક છે.
ગામ - આલીપોર, તાલુકો - ચીખલી ' ૩૧. શ્રી ગોડી પાર્શ્વનાથ (સં. ૧૮૯૧)
નેશનલ હાઈવે નં ૮ ઉપર ચીખલીથી ૫ કિમીના અંતરે આલીપોરમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. અહીં ધર્મશાળા, ભોજનશાળા તથા ઉપાશ્રય છે. પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૯માં વૈશાખ સુદ દશમને દિને આ શ્રી પ્રબોધચંદ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં શ્રી જયકુમાર દુર્લભભાઈ દેગામવાળા દ્વારા થયેલ છે.
૨૩” ઊંચી મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ આદેશ્વર છે. માણિભદ્રવીર તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિઓ છે. ગિરનાર, સમેતશિખર, શત્રુંજય તથા પાવાપુરીના પટ છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બીલીમોરા સ્ટેશનથી ૫ માઈલના અંતરે આલીપોરમાં વાણિયાવાસમાં પાર્શ્વનાથના શિખર વિનાના જિનાલયનો ઉલ્લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સારી હતી. જિનાલય બંધાવ્યા સંવત ૧૮૯૧ દર્શાવેલ છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ચીખલીથી ૧ માઈલ દૂર આલીપોર ગામમાં શ્રી પાર્શ્વનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. શ્રી સંઘે સં. ૧૯૯૯માં જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે. વહીવટ ભગવાનદાસ રાયચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
જૂની વર્ષગાંઠ મહા સુદ અગિયારશ અને નવી વર્ષગાંઠ વૈશાખ સુદ દશમને દિને આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org