________________
સુરતનાં જિનાલયો
પ્રતિષ્ઠા સં. ૨૦૫૫માં માગશર સુદ બીજના રોજ થયેલ છે. ૪૧' ઊંચી શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની આરસપ્રતિમા ૫૨ સં ૨૦૫૨નો લેખ છે. પ્રતિમાની અંજનશલાકા મુંબઈ ગોરેગાંવમાં થયેલ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. ડાબા ગભારે શાંતિનાથ તથા જમણા ગભારે આદેશ્વર છે. ઉપરાંત શ્રી પુંડરીકસ્વામી તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. પદ્માવતીદેવી તથા ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ છે. તેના ૫૨ વાસક્ષેપ પૂજા થાય છે.
જિનાલયનો વહીવટ શ્રી સોમેશ્વરા પાર્શ્વનાથ જિનાલય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી હસમુખભાઈ શંકરચંદ શાહ તથા શ્રી રમેશભાઈ શંકરચંદ શાહ હસ્તક છે.
ડુમસ, તાલુકો - ચોર્યાસી
૧૩૬. શ્રી આદેશ્વર (સં. ૧૯૫૪ આસપાસ)
૧૯૯
ડુમસ નાની ચોપાટી રોડ, પોલીસ ચોકી પાસે વિજયબાગમાં કાષ્ઠ તથા આરસનું બનેલું શ્રી આદેશ્વરનું છાપરાબંધી ઘરદેરાસર આવેલું છે. પાસે મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે.
૩” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પંચતીર્થી પ્રતિમા સહિત કુલ ત્રણ ધાતુપ્રતિમા છે. મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથની બે આરસપ્રતિમાની અંજનશલાકા થયેલ નથી. વહીવટ કુમુદબહેન શાહ હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સચીન તાલુકામાં ડુમસમાં શ્રી આદેશ્વરના શિખર વિનાના જિનાલયનો ઉલ્લેખ છે. બંધાવનારના નામમાં સંઘવી શેઠ ધર્મચંદ ઉદેચંદના નામનો ઉલ્લેખ છે. તે સમયે કુલ ત્રણ ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સારી હતી.
Jain Education International
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સુરતથી ૧૨ માઈલ દૂર ડુમસ, વિજયબાગ ધરમચંદની વાડીમા શ્રી આદેશ્વરના ઘરદેરાસરનો ઉલ્લેખ થયો છે. તે સમયે કુલ ત્રણ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૫૪માં શેઠ ધરમચંદ ઉદયચંદે આ ઘરદેરાસર બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. વહીવટ છોટુભાઈ ગુલાબચંદ હસ્તક હતો અને ઘરદેરાસરની સ્થિતિ સારી હતી.
સં ૨૦૧૦માં જણાવ્યા મુજબ આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૫૪ આસપાસનો છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org