SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૮૯ વિઠ્ઠલનગર સોસાયટી, રાંદેર રોડ ૧૧૫. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૩ આસપાસ) રાંદેર રોડ પર કડવા પાટીદારની વાડીની સામે વિઠ્ઠલનગર સોસાયટીમાં બં, નં. ૨૩માં શ્રી અરવિંદભાઈ વી. શાહ પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. નાની છત્રીવાળા આરસના ગોખમાં ૩” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની અંજનશલાકા કરાવેલ માત્ર એક ધાતુપ્રતિમા બિરાજે છે. ઘરદેરાસર સં૨૦૫૩ આસપાસના સમયનું છે. પન્ના ટાવર, ન્યુ રાંદેર રોડ ૧૧૬. શીતલનાથ (સં. ૨૦૫૦) રાંદેર રોડ ઉપર પાટીદાર વાડીની બાજુમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી શીતલનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. સં. ૨૦૧૪માં પ્રકટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં પ્રતિષ્ઠા સં. ૨૦૫૦ના કારતક વદ ૧૦ના દિને આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા. તથા શ્રી અશોકચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં સાંતાક્રુઝ, મુંબઈવાળા શ્રી પ્રવીણભાઈ પરમાનંદદાસ દડિયા પરિવાર દ્વારા કરવામાં આવી હોવાની નોંધ છે. ૨૭” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની આરસપ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. અશોકાદેવી તથા બ્રહ્મયક્ષની આરસમૂર્તિઓના ગોખ છે. જિનાલયનો વહીવટ શ્રી શીતલનાથ સ્વામી જૈન શ્વે, મૂડ પૂ જૈન સંઘ - પન્ના ટાવરના ટ્રસ્ટીઓ – શ્રી રતિલાલ બબલદાસ શાહ, શ્રી નરોત્તમભાઈ અમૃતલાલ શાહ તથા શ્રી પ્રવીણભાઈ બાબુલાલ શાહ હસ્તક છે. શત્રુંજય ટાવર, રાંદેર રોડ ૧૧૭. આદેશ્વર (સં. ૨૦૫૦) રાંદેર રોડ પર નવયુગ કૉલેજ પાસે શત્રુંજય ટાવરના કોમન પ્લોટમાં આરસનું બનેલું શ્રી આદેશ્વરનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. સાદા, મધ્યમ કદના રંગમંડપમાં શ્રી પ્રસન્નચંદ્ર વિજયજી મ. સા.ની આરસની ગુરુમૂર્તિ, ગૌતમસ્વામી, પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિઓ તથા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ તથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy