________________
સુરતનાં જિનાલયો
૧૮૭
અરિહંત પાર્ક, સુમુલ ડેરી રોડ
૧૧૨. વાસુપૂજ્યસ્વામી (સં. ૨૦૫૦) સુમુલ ડેરી રોડ, સુરત રેલ્વે સ્ટેશનની નજીક, સરદારનગરની સામે, બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ અરિહંત પાર્કમાં મધ્યે વિશાળ જગ્યામાં આરસનું બનેલું શ્રી વાસુપૂજયસ્વામીનું ભોંયરાયુક્ત, શિખરબંધી ભવ્ય નૂતન જિનાલય આવેલું છે. ભોંયરામાં શ્રી કેસરિયાજી આદેશ્વર બિરાજમાન છે.
કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપ વિશાળ છે. સામરણયુક્ત ઘુમ્મટમાં ગુલાબીરંગમાં કોતરકામ થયેલું છે. અહીં ૭૧” ઊંચી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તથા શ્રી કલિકુંડ પાર્શ્વનાથની કાઉસ્સગ્ગ આરસપ્રતિમા બિરાજે છે. આ બન્ને પ્રતિમાઓ પર સં૨૦૫૦ મહા સુદ ૧૦ના રોજ આ. શ્રી સુબોધસાગરસૂરિ તથા આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા થયાનો લેખ છે. અન્ય બે ગોખ પૈકી જમણી બાજુના ગોખમાં આશ્રી બુદ્ધિસાગરસૂરિની આરસની ગુરુમૂર્તિ તથા બીજા ગોખમાં ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. રંગમંડપમાં અન્ય બે દ્વાર છે. અહીં સામરણયુક્ત દેવકુલિકા છે. ડાબી બાજુ દેવકુલિકામાં શ્રી ઘંટાકર્ણવીર તથા જમણી બાજુ દેવકુલિકામાં શ્રી પદ્માવતીદેવીની આરસમૂર્તિ છે.
- ત્રણ ગર્ભદ્વાર છે. ગભારો મોટો છે. ૫૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમા છે. ડાબા તથા જમણે ગભારે શ્રી અમીઝરા પાર્શ્વનાથ તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની શ્યામ આરસપ્રતિમા છે. કુલ સાત આરસપ્રતિમા છે. બધી જ પ્રતિમા પર સં. ૨૦૫૦માં મહા સુદ ૧૦ના રોજ શ્રીમદ્ સુબોધસાગરસૂરિ તથા શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા થયાના લેખ છે. કુલ આઠ ધાતુપ્રતિમા છે.
અગાઉ જણાવ્યા મુજબ જિનાલયમાં ભોંયરું છે. ઉપર્યુક્ત જિનાલયની પેઠે અહીં પણ વિશાળ રંગમંડપ, મોટો ગભારો તથા આજુબાજુ દેવકુલિકાની રચના છે.
રંગમંડપ સાદો છે. આજુબાજુની દેવકુલિકાઓ પૈકી જમણી બાજુ માણિભદ્રવીર તથા ડાબી બાજુ અંબિકાદેવી બિરાજમાન છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૪૫” ઊંચી મૂળનાયક શ્રી કેસરિયાજી આદેશ્વરની પ્રતિમા પર સં. ૨૦૫૦નો લેખ છે. જમણે ગભારે શાંતિનાથ તથા ડાબે ગભારે સીમંધરસ્વામી છે. કુલ સાત આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે.
- જિનાલયમાં કુલ સોળ આરસપ્રતિમા તથા તેર ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં૨૦૫૦માં મહા સુદ ૧૦ને તા. ૨૧-૨-૧૯૯૪ના દિને આ. શ્રી સુબોધસાગરસૂરિ તથા આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિની નિશ્રામાં શ્રી પૂનમચંદ મીયાચંદ શાહ (અંબાસણવાલા) પરિવાર દ્વારા કરવામાં આવી છે. જિનાલયની સામે ઉપાશ્રયના બાંધકામનું કાર્ય ચાલી રહ્યું છે.
હાલ જિનાલયના વહીવટદાર તરીકે શ્રી કાંતિલાલ પૂનમચંદ શાહ તથા શ્રી અરવિંદભાઈ રમણલાલ શાહ સેવાઓ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org