________________
સુરતનાં જિનાલયો
૧૬૭
ઇન્દ્રપ્રસ્થ કોપ્લેક્ષ, અઠવાલાઇન્સ
૮૪. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૬). અઠવાલાઇન્સ વિસ્તારમાં સીટી લાઇટ પ્લાઝા શોપીંગ સેન્ટર સામે, ઇન્દ્રપ્રસ્થ કોપ્લેક્ષમાં સી ૩૦૩ નંના ફલેટમાં શ્રી રાજેશભાઈ વિજયકાંતભાઈ શ્રોફ પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
૩૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની આરસપ્રતિમા માંડવગઢથી લાવેલ છે. ચલપ્રતિષ્ઠા સં૨૦૧૬માં શ્રી રત્નસુંદરવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. એક આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામી, પદ્માવતીદેવી તથા માણિભદ્રવીરની આરસમૂર્તિઓ છે. પ્રતિષ્ઠા સં૨૦૫૭ ચૈત્ર વદ ૧૧ ગુરુવારે તા. ૧૯-૪-૨૦૦૧ના રોજ થવાની છે.
આદર્શ સોસાયટી, અઠવાલાઈન્સ
- ૮૫. આદેશ્વર (સં. ૨૦૪૬) અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટીના આદેશ્વર એપાર્ટમેન્ટના ઉપાશ્રયમાં શ્રી આદેશ્વરની ૯” ઊંચી પ્રાચીન પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. બાજુમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પર સં ૨૦૫૧ના ચૈત્ર વદ પાંચમના દિને માંડવગઢ તીર્થે શ્રી અશોકસાગરસૂરિની નિશ્રામાં કુસુમબહેન દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. અહીં બે આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે.
સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય શ્રી રતિલાલ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ હ. ભરતભાઈ તરફથી બંધાવેલ હોવાની નોંધ છે. પ્રતિષ્ઠા પૂ. પં. શ્રી જગવલ્લભવિજયજીની(હાલ આચાર્ય) નિશ્રામાં થઈ છે. ચલ પ્રતિષ્ઠા સં૨૦૪૬ના આસો સુદ પની છે. - તે મુજબની નોંધ છે.
વહીવટદાર તરીકે શ્રી રતિલાલ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી ભરતભાઈ રતિલાલ શાહ, શ્રી વસંતલાલ મગનલાલ ચોકસી, શ્રી જિતેન્દ્રભાઈ બાબુભાઈ શાહ તથા શ્રી જયવદન બાબુભાઈ જરીવાલા સેવાઓ આપે છે.
અમીઝરા એપાર્ટમેન્ટ, અઠવાલાઇન્સ
૮૬. વાસુપૂજ્યસ્વામી (સં. ૨૦૫૧) અઠવાલાઇન્સ રોડ પર અમીઝરા એપાર્ટમેન્ટના પાછળના ભાગમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી વાસુપૂજ્યસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org