________________
૧૩૨
સુરતનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ થયો નથી. સં. ૧૯૮૯માં તાળાવાળાની પોળમાં શેઠ મરઘુભાઈ ભાણાભાઈને ત્યાં સુમતિનાથનું ઘરદેરાસર હોવાની નોંધ છે અને સં. ૨૦૧૦માં આ ઘરદેરાસર અમરચંદ ફૂલચંદ પરિવારનું દર્શાવ્યું છે.
આજે આ ઘરદેરાસર અમરચંદ ફૂલચંદ પરિવારનું છે. આ ઘરદેરાસરનો સમય અમારી માન્યતા પ્રમાણે સં. ૧૯૮૯ પૂર્વેનો છે. સં૧૯૦૦ દરમ્યાનનો સમય નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
હનુમાનવાળી પોળ, નાણાવટ
૫૮. અજિતનાથ (સં. ૧૮૨૮ પૂર્વે) નાણાવટમાં હનુમાનવાળી પોળમાં શ્રી અજિતનાથ (અનંતવીર્ય)નું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
શૃંગારચોકીમાં રંગકામયુક્ત સાદી કોતરણી છે. એક પ્રવેશદ્વાર છે. આજુબાજુ બારી છે.
રંગમંડપમાં દીવાલો પર લક્ષ્મીદેવી, સરસ્વતીદેવી, મહાલક્ષ્મીદેવી, ૨૪ તીર્થકર, પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી, માણિભદ્રવીર તથા નાકોડાભૈરવનું કાચકામ છે. તળાજા, આબુ, રાણકપુર, રાજગૃહી, પાવાપુરી, તારંગા, નંદીશ્વરદ્વીપ, શંખેશ્વર તથા અષ્ટાપદ જેવા પટ તેમજ સિદ્ધચક્ર, નમસ્કાર મહામંત્રના કાચકામથી દીવાલો ભરચક છે. ગર્ભદ્વારની ઉપરની દીવાલ પર પણ ચૌદ સ્વપ્ન, મેર, જન્માભિષેક, દીક્ષા કલ્યાણક, સમવસરણ તથા નિર્વાણ કલ્યાણકનું કાચકામ મનોહર છે. તદુપરાંત શ્યામરંગી નેમનાથ અને તેમની જાનનું કાચકામ અદ્દભુત છે. અષ્ટકોણાકાર ઘુમ્મટ પણ રાસ રમતી કન્યાઓના કાચચિત્રોથી સુશોભિત છે. પટ, પ્રસંગો, તીર્થકર તથા દેવ-દેવીઓનું આ બહુવિધ કાચકામ જિનાલયની ઇંચ જેટલી જગ્યા પણ કોરી રાખતા નથી. જિનાલય જાણે કે શીશમહેલ લાગે છે ! અહીં બે ગોખમાં કાળભૈરવજી તથા બટુકભૈરવજી બિરાજમાન છે.
ગર્ભદ્વાર ત્રણ છે. ૨૩” ઊંચી શ્રી અજિતનાથ (અનંતવીર્ય)ની પ્રતિમા પર ‘સં. ૧૮૯૩ .. માઘ સુદ ૧૦ ............ મુજબનું લખાણ વાંચી શકાય છે. ડાબે ગભારે શ્રી મલ્લિનાથ તથા જમણે ગભારે શ્રી શ્રેયાંસનાથ છે. કુલ તેર આરસપ્રતિમા પૈકી બે શ્યામ છે તથા એકસો આઠ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. આરસનાં પગલાંની બે જોડ છે.
ઐતિહાસિક સંદર્ભ મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૮૯૩નો લેખ છે. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૮૫૬માં વૈશાખ સુદ છઠને બુધવારે શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org