________________
૧૧૦
સુરતનાં જિનાલયો
સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં નાનપુરાના બગીચામાં એક જિનાલય હોવાની નોંધ છે. મૂળનાયકના નામની નોંધ નથી.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયના ગોખમાં એક લેખ હોવાની નોંધ છે જે નીચે મુજબ છે : - શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઇચ્છાએ સં. ૧૯૫૬ના મા. શુદી ૬ને શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મોહનલાલજી પાસે આદીશ્વરના બિંબની કરાવી છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નાનપરા બજાર વિસ્તારમાં ચંદ્રપ્રભુના આ જિનાલયને શિખરબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા હતી. શ્રી સંઘે સં. ૧૯૮૩માં જિનાલય બંધાવ્યું હોવાની તથા મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૮રનો લેખ હોવાની નોંધ છે. વહીવટ શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ હસ્તક હતો તથા જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં નાનપુરા ગાંધીબાગ શહેરની વચ્ચે, નદી કિનારે બગીચા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૮૮૨ વૈશાખ સુદ ૬ રવિવારે સમસ્ત વીસા નેમા સંધે (કપડવંજ) પ્રતિમા ભરાવી અણસુર ગચ્છના શ્રી આણંદસોમસૂરિના હસ્તે પ્રતિષ્ઠા થઈ હોવાની નોંધ હતી. ઉપરાંત સં. ૨૦૧૩માં મહા વદ ૧ શ્રી વિજયધર્મસૂરિની નિશ્રામાં તદ્દન પાયામાંથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ હતો. વહીવટ શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ મહેતા હસ્તક હતો.
સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય ગાંધીબાગની નજીક હોવાથી ‘ગાંધીબાગના દેરાસર' તરીકે ઓળખાતું હોવાની નોંધ છે.
આજે વહીવટ શ્રી ચંદ્રપ્રભુ જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી વસંતલાલ મગનલાલ ચોકસી, શ્રી નરેન્દ્રભાઈ છગનલાલ શાહ તથા શ્રી સોભાગચંદ મોતીલાલ શાહ હસ્તક છે.
મૂળનાયક પ્રતિમા પર સં૧૮૮૨નો લેખ છે. તે સંદર્ભમાં આ જિનાલય સં૧૮૮૨ના સમયનું હોવાનું માની શકાય.
નાનપુરા ગેટ
૪૬. મહાવીર સ્વામી (સં. ૨૦૩૯) નાનપુરા ગેટ, પોલીસ ચોકી સામે, રોડ પર આરસનું બનેલું શ્રી મહાવીર સ્વામીનું નાનું, શિખરબંધી જિનાલય આવેલું છે.
સ્થાનિક માહિતી પ્રમાણે જિનાલય તાપી નદી કિનારે હતું. તે સમયે અહીં આદેશ્વરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org