________________
સુરતનાં જિનાલયો
૧૦૭
વિજયજી મ. સા.ની નિશ્રામાં કરવામાં આવી છે.
સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય ડૉ. સુરેશચંદ્ર ગુલાબચંદ મોહનલાલ શાહ પરિવાર દ્વારા બંધાયાની નોંધ છે.
આજે વહીવટ શ્રી સુરેશભાઈ નગીનદાસ સંઘવી, શ્રી અરવિંદભાઈ ટી. શાહ તથા શ્રી શાંતિલાલ એલ. શાહ હસ્તક છે.
સિદ્ધશીલા એપાર્ટમેન્ટ, નાનપુરા
૪૨. ભીલડિયા પાર્શ્વનાથ (સં. ૨૦૪૬) નાનપુરા વિસ્તારમાં જીવન ભારતી સ્કૂલની પાસે આવેલ સિદ્ધશીલા કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી ભીલડિયા પાર્શ્વનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
સોસાયટીમાં જમણી બાજુ જિનાલય છે. પ્રવેશચોકીના સ્થંભો, તેની કમાનો, પ્રવેશદ્વાર, તેની બારસાખની કોતરણી ધ્યાનાકર્ષક છે.
રંગમંડપ મધ્યમ કદનો છે. ડાબી જમણી બાજુના ગોખમાં પદ્માવતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિઓ છે. જિનાલયની પ્રતિષ્ઠા અંગેનો લેખ નીચે મુજબ છે :
| શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથાય નમ: યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રીમદ્ બુદ્ધિ કીર્તિ સાગર સૂરીશ્વરેભ્યો નમઃ શ્રી સિદ્ધશીલા શ્વેતાંબર જૈન ટ્રસ્ટ જિનાલય મૂળનાયક શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠામાં લાભ લેનાર મહાનુભાવોની નામાવલી.
શુભ નિશ્રા : પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય દેવશ શ્રીમદ્ સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ મનોહરકીર્તિ સાગર સૂરિ મ. સા.
વીર સંવત - ૨૫૧૬ વિક્રમ સંવત - ૨૦૪૬ મહા સુદ ૧૩ બુધવાર તા. ૭-૨-૧૯૯૦ શુભ લગ્ને શુભ ભવતુ શ્રી સંઘસ્ય | શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ : ડોસાણી લાલચંદ પોપટલાલ પરિવાર જુના ડીસા હ. મહેન્દ્રભાઈ શ્રી આદિશ્વર ભગવાન : શાહ ફૂલચંદજી વરધીચંદજી પરિવાર જસવંતપુરા શ્રી શાંતિનાથ ભગવાન : શાહ ચંદુલાલ નિહાલચંદ પરિવાર પટોસણ શ્રી વાસુપૂજ્ય સ્વામી : શાહ ચીમનલાલ ચુનીલાલ મહાજની પરિવાર ધાનેરા હ. હસમુખભાઈ શ્રી મુનિસુવ્રતસ્વામી : શાહ વીરચંદ વરધીચંદભાઈ પરિવાર જેતાવાડા શાસનદેવી શ્રી ચક્રેશ્વરી માતાજી : શાહ સુરજમલ ગમાજી પરિવાર બાંટ શાસનદેવી શ્રી પદ્માવતીમાતાજી : શાહ પૂનમચંદ મંગળજીભાઈ પરિવાર જૂના ડીસા હ, સુરેશભાઈ ધ્વજાદંડ : યાવચંદ્રદિવાકરૌ : શાહ બાબુલાલ સુરચંદભાઈ પરિવાર જૂના ડીસા દ્વાર ઉદઘાટન : શેઠ હાલચંદભાઈ ધરમચંદભાઈ પરિવાર ધાનેરા હ. પિયુશ, હિતેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org