________________
જિનાલયના મૂળનાયકનો મૂર્તિલેખ કહી શકાય. આથી, વાંચી શકાયું તેટલું લખાણ મોટા ભાગના મૂર્તિલેખોમાંથી ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ પ્રતિમાને લેપ કરવામાં આવ્યો હોય, અક્ષરો ઘસાઈ ગયા હોય કે વાંચી શકાયા ન હોય ત્યાં લેખ ઉપલબ્ધ થયો નથી તે મુજબ સમજવાનું છે. તો કેટલેક સ્થળે પ્રતિમાલેખ નથી તેવી નોંધ કરેલ છે.
કેટલીક જગ્યાએ જૈન તીર્થ સર્વસંગ્રહ અને જૈન શ્વેતાંબર ડિરેક્ટરી જેવા સંદર્ભગ્રંથોમાં આપવામાં આવેલી સંવત માન્ય રાખવામાં આવી છે.
એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલોજી દ્વારા લિપિશાસ્ત્રના વર્ગો લક્ષ્મણભાઈ ભોજકની રાહબરી હેઠળ ચાલ્યા હતા. આ તાલીમ વર્ગમાં પ્રોજેક્ટની ટીમની બહેનો પણ જોડાઈ હતી. લિપિશાસ્ત્રની એ તાલીમ મૂર્તિલેખો તથા શિલાલેખો ઉકેલવામાં ઉપકારક નીવડી. જિનાલયમાં મૂળનાયકના મૂર્તિલેખ ઉપરાંત આજુબાજુની અન્ય પ્રતિમાઓના લેખને ઉકેલવાનો બનતો પ્રયત્ન કર્યો છે.
અહીં અભ્યાસીઓ તથા વિદ્વાનોને ઉપયોગી થઈ પડે તે માટે પરિશિષ્ટો સમાવવામાં આવ્યાં છે. પરિશિષ્ટોમાં તે તે સમયની જોડણી યથાવત રાખવામાં આવી છે. વળી, તવારીખના પરિશિષ્ટમાં ૨૦મા સૈકા સુધીની તવારીખ સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રોજેક્ટના કાર્ય નિમિત્તે જે ગ્રંથોનું અધ્યયન થયું તેમાંથી ઉપલબ્ધ માહિતીને આધારે તવારીખનું પરિશિષ્ટ સમાવિષ્ટ કર્યું છે. તવારીખનું પ્રકરણ સ્વતંત્ર રીતે આપવાનો પ્રસ્તુત પ્રોજેક્ટની અંતર્ગત ઉપક્રમ ન હતો. પરંતુ ભવિષ્યમાં સુરતની જૈન પરંપરા અંગે અધ્યયન-સંશોધન કરનાર અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે તે હેતુથી તવારીખની નોંધ ૨૦મા સૈકા સુધીની આપવામાં આવી છે. આ તવારીખ સંપૂર્ણ નથી.
આશ્રી જબૂવિજયજી, આ. શ્રી રામચંદ્રસૂરિજી ડહેલાવાળા, આ. શ્રી ચંદ્રોદયસૂરિજી, આશ્રી શીલચંદ્રસૂરિજી, આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, શ્રી અજયસાગરજી મહારાજ સાહેબ, મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ, મુનિ શ્રી સર્વોદયસાગર વગેરે આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને આશિષોના બહુમૂલ્ય પ્રદાનનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું.
અભ્યાસ દરમ્યાન જે જે હસ્તપ્રતો તથા ગ્રંથોની જરૂરિયાત ઊભી થઈ, તેને મેળવવામાં કયારેક ઘણી મુશ્કેલીઓ પડી તેમ છતાં પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, અમદાવાદનાં ભો. જે વિદ્યાલય, જૈન પ્રાચ્ય વિદ્યામંદિર, આ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, શારદાબહેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ગ્રંથભંડાર, ખંભાતના શ્રી તપગચ્છ અમર જૈનશાળાનો જ્ઞાનભંડાર તથા કોબાના આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર વગેરે સંસ્થાઓએ હસ્તપ્રતો તથા ગ્રંથો સુલભ કરી આપીને ઉમળકાભેર સહકાર આપ્યો છે. તે સર્વેની અનુમોદના કરું તેટલી ઓછી છે. આ સૌનો હું હાર્દિક આભાર માનું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org