________________
જો સાચી સમજ હોય અને તેની સાથે સામર્થ્યનો યોગ પણ હોય, તો એવા પણ કાળમાં મન અપ્રસન્ન બને નહિ અને શ્રી જિનપૂજનથી મન પ્રસન્ન રહેવા સાથે, એવી નિર્જરાદિનો લાભ થયા કરે કે અલ્પ કાળમાં શાશ્વત સુખના ભોક્તા બની શકાય. એટલે જે કાંઈ પણ સારું મળે કે સારું થાય, એ પ્રતાપ શ્રી જિનપૂજનનો જ છે.
શ્રી જિનના પરમ ઉપકારનું સ્મરણ ને રટણ ઃ
મનની પ્રસન્નતા, એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. આજે તમે તમારા મનની પ્રસન્નતા શાના શાના યોગે માનો છો ? વિષયોના ભોગવટાની મન ચાહે તેવી અનુકૂળતા હોય અને કષાયો સફળ નીવડતા હોય, તો મન પ્રસન્ન રહે છે ! પણ, શું તમે એવું અનુભવતા નથી કે વિષયની અને કષાયની ઇચ્છામાં પણ મનને અપ્રસન્ન બનાવી દેવાની જ તાકાત છે અને મનને પ્રસન્ન કરવાની એની તાકાત છે જ નહિ ? આમ છતાં એમાં તમને જે થોડી ઘણી પ્રસન્નતાનો અનુભવ થાય છે, તે પુણ્યોદયના પ્રતાપે અને અજ્ઞાનતાને લીધે થાય છે. એ થોડી પણ પ્રસન્નતા, પાછી મહા અપ્રસન્નતાનું કારણ બનવાની ! વિષય-કષાયને આધીન જીવને, દુઃખ ન જ હોય—એવું કદી પણ બને નહિ અને એને દુઃખી દુઃખી થઈ જતાં વાર લાગે નહિ. જરાક પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા આવે તો શું, પણ પ્રતિકૂળતા આવશે – એવો ખ્યાલ માત્ર પેદા થાય, ત્યાં જ મન બેચેન બની જાય છે ને ? એટલે મનની પ્રસન્નતાને સાધવા માટે, દુનિયાદારીની ચીજોની ઇચ્છા ઉપર જ કાબૂ મૂકવો પડશે અને સંગ માત્રથી મુકાવાની ભાવનાને ખૂબ જ સતેજ બનાવ્યા કરવી પડશે.
શ્રી જિનપૂજન કરતાં કરતાં જો ઉપસર્ગો બધા ક્ષીણ થઈ જાય–એવું કરવું હોય, વિઘ્નની વેલડીઓ છેદાઈ જાય–એવા પરિણામને નિપજાવવું હોય અને મન પ્રસન્નતાને પામે–એ ફળ મેળવવું હોય, તો મનમાં એ વાતનો નિશ્ચય કરી લેવો પડશે કે શ્રી જિનપૂજનથી જ મનની પ્રસન્નતા છે. શ્રી જિનપૂજન થાય, અરે, શ્રી જિનપૂજનનો ભાવ માત્ર પણ મનમાં પ્રગટે અને મન પ્રસન્ન બની જાય, એવી કોટિના વિવેકવાળા બનવું પડશે. એ માટે, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કરેલા પરમ ઉપકારનું સ્મરણ અને રટણ કર્યા કરવું પડશે. “મારું ભલું એક માત્ર શ્રી જિનપૂજનથી જ થઈ શકે
૨૧-જિનપૂજા અને તેનું ફળ
Jain Education International
For Personal & Private Use Only
૧૫
www.jainelibrary.org