________________
પીડાઓની તમને તો પૂરી કલ્પના પણ આવી શકે તેમ નથી.
આપણે બધા અત્યાર સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ, એ પણ કર્મસત્તાને લઈને જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ વાતનો ખ્યાલ આપ્યો છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ સમજાવ્યું છે કે “આમ આમ કરવાથી કર્મસત્તા મજબૂત બને છે અને આમ આમ વર્તવાથી કર્મસત્તા ઢીલી પડતી જાય છે. જીવ જો કર્મસત્તાથી સર્વથા છૂટે, તો જ એ પોતાના અનંત સુખનો ભોક્તા બની શકે.' કર્મસત્તાને લઈને જીવોમાં ભિન્ન ભિન્ન પ્રકારની નબળાઈઓ વગેરે પણ હોય છે. એ નબળાઈઓ હોય તેવા વખતે પણ કેવા પ્રકારે કર્મસત્તાને તોડવાનો પ્રયત્ન કરી શકાય છે, એ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ બતાવ્યું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો આ જેવો-તેવો ઉપકાર છે ? આવા ઉપકારીની જેટલી ભક્તિ કરીએ, તેટલી ઓછી જ ગણાય ને ? અને આવા ઉપકારીની ભક્તિના જેટલા પ્રકારો, તેમાં સર્વશ્રેષ્ઠ પ્રકાર કયો ? એ ઉપકારીની આજ્ઞાની આરાધના. એ ઉપકારીની આજ્ઞાની આરાધના રૂપ સર્વશ્રેષ્ઠ ભક્તિ કરવાની શક્તિ અને સામગ્રી મળે, એ માટે આધિકાર મુજબ દ્રવ્ય ભક્તિ કરવાનું વિધાન છે. એટલે વસ્તુતઃ શ્રી જિનપૂજા શા માટે કરવાની ? કહો ને કે કર્મસત્તાથી સર્વથા મુક્ત બનવાને માટે ! કર્મસત્તાથી સર્વથા મુક્ત બનવું, એટલે પોતાના સ્વભાવને પોતે સંપૂર્ણપણે પ્રગટાવવો એ ! એને માટે આલંબન એક માત્ર શ્રી જિનપૂજા જ છે. શ્રી જિનપૂજામાં ભગવાને મોક્ષને માટે કહેલી સઘળીય ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે. સાધુઓ પણ શ્રી જિનપૂજક અને શ્રાવકો પણ શ્રી જિનપૂજક !
તમે ગૃહસ્થ છો એટલે આજ્ઞાપાલન રૂપ ભાવપૂજા તમે અતિ અલ્પ પ્રમાણમાં કરી શકો છો અને તમે દ્રવ્યવાળા છો માટે તમારે માટે દ્રવ્યપૂજાનું વિધાન છે. દ્રવ્યપૂજા તો દ્રવ્યની મૂચ્છને ઉતારનાર છે. ત્યારે એ કહો કે શ્રી જિનનો પૂજારી, એ પૈસાનો પૂજારી હોય ખરો ? શ્રાવક પૈસાનો પૂજારી ન જ હોય ને ? ગૃહસ્થ છે એટલે એને પૈસા રાખવા પડે છે, પણ એની ઈચ્છા કઈ ? અપરિગ્રહી બનવાની ને ? આવી ભાવનાવાળો, પોતાની પાસે દ્રવ્ય હોય તે છતાં, દ્રવ્યનો સારામાં સારો ઉપયોગ શ્રી જિનપૂજાદિમાં કર્યા વિના રહે ખરો ? અને એ પ્રકારે જે
B ૧૨ :
પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org