________________
તેમ ભુક્તભોગી દીક્ષિતો માટે પણ છે ઃ કારણ કે ભોગમાં યુવાન વયને પસાર કરવાના કારણે, વેદોદયના કારણભૂત કર્મ નષ્ટ થઈ જાય છે એમ તો છે જ નહિ ઃ એટલે જ્યાં સુધી તેવું કર્મ છે ત્યાં સુધી પતનનો સંભવ તો અભુક્તભોગી અને ભુક્તભોગી બન્નેને માટે સરખો જ છે.
આજે કેટલાક ઘણી મોટી ઉંમરના માણસો પણ વિષયભોગોની પાછળ પાગલ બનેલા જોવાય છે અને એવા પણ યુવાનો વિદ્યમાન છે, કે જેઓ સુંદર પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરે છે. આથી યુવાન વયને ભોગોના ભોગવટામાં પસાર કર્યા પછીથી દીક્ષા લેવામાં પતનનો સંભવ નથી એમ કહી શકાય તેમ નથી, કારણ કે યુવાન વયે ભોગોના ભોગવટામાં પસાર કરવી એ કાંઈ વેદોદયના કારણભૂત કર્મને નષ્ટ ક૨વાનો ઉપાય નથી.
કૌતુક આદિ દોષોનો સંભવ બાલદીક્ષિતો કરતાં ભુક્તભોગી દીક્ષિતોને વધારે છે :
એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ભોગોનો ભોગવટો એ ભોગવૃત્તિને શમાવવાનો ઉપાય નથી. ભોગોના ભોગવટાથી તો પ્રાયઃ ભોગવૃત્તિ ઉત્તેજિત બને છે. સામાન્ય રીતે કામવૃત્તિ તેના સેવનથી વૃદ્ધિ પામનારી હોય છે. આથી કામવૃત્તિને સંયમમાં લેવી અને તેની ઇચ્છા ન જન્મે એવા વાતાવરણમાં રહેવું એ જ હિતકારક છે. ભોગો ભોગવીને દીક્ષા લેનારાઓ માટે તો આ જન્મનો અભ્યાસ તાજો હોવાથી તે તરફ દોરાઈ જવાનો સંભવ રહે છે, જ્યારે બાલદીક્ષિતોને માટે તો કૌતુક આદિ દોષો જન્માવાનું તે કારણ પણ નથી ઃ કારણ કે આ જન્મમાં તેવા પુણ્યાત્માઓને તેવો ખરાબ અભ્યાસ થયો નથી અને પૂર્વજન્મમાં જે થયું હોય તે તો દૂર છે. આ રીતે જોતાં પણ, ભુક્તભોગી દીક્ષિતોના કરતાં બાલદીક્ષિતોને માટે પતનની સંભાવના ઓછી છે.
બાલદીક્ષિતોમાંથી પતિત ઓછા થાય
છે અને પ્રભાવક અધિક બને છે :
બાલ્યકાળમાં દીક્ષિત બનીને સુગુરુની નિશ્રામાં જીવનને ઘડનારાઓ પતિત ઓછા બને છે અને પ્રભાવક અધિક બને છે. બાળકના જીવનને
૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ
Jain Education International
For Personal & Private Use Only
૨૩
www.jainelibrary.org