________________
બાળદીક્ષા અંગે પ્રશ્નોત્તરી કુંભોજતીર્થની યાત્રાએ પ્રવચન દશમામાંથી
આષ્ટા-મીરજવાડી
માઘ કૃષ્ણા- ૬ વિ.સં. ૧૯૯૪ તા. ૨૦-૨-૧૯૩૮, રવિવારે બપોરના ત્રણ વાગ્યાથી જ વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આષ્ટા, સાંગલી અને કરાડ વગેરે સ્થળોએથી મોટો જનસમુદાય આવી પહોંચ્યો હતો. આજના વ્યાખ્યાનમાં દિગંબરોની હાજરી મોટા પ્રમાણમાં હતી, જેમાં દક્ષિણ-મહારાષ્ટ્રના દિગંબર નેતા તરીકે જાણીતા થયેલા શ્રીયુત બાલાપ્પા ચંદાપ્પા ધાવત' મુખ્ય હતા. - પ્રવચનમાં પાછળથી શ્રી ધાવત’ તરફથી બાલદીક્ષા સંબંધી પ્રશ્નો પુછાયા : સમય થોડો હોવાથી, પૂ. આચાર્યદવે બાલદીક્ષા સંબંધી પ્રશ્નોનો વિષય પણ ઘણો જ ઝડપથી ચર્ચો હતો : એટલે તેમાંના ઘણા થોડા ભાગનું અવતરણ જ લઈ શકાયું છે. બાલદીક્ષા સંબંધી વિરોધી સાહિત્ય વાંચવાના કારણે વિપરીત વિચારના બનેલાઓ ઉપર પણ આ વ્યાખ્યાનની ઘણી જ સરસ અસર થઈ હતી. ગુજરાતી નહિ સમજી શકનારાઓ આજે ઘણા હોવાથી આજનું પ્રવચન હિન્દી ભાષામાં થયું હતું. અત્રે નીચે તેનું સારભૂત ટૂંક અવતરણ આપવામાં આવે છે.
દ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org