________________
ચોમેરની માગણીમાં એક “મહાસુખભાઈ ! બીજા નંબરે હોય તો અમુક ગામના યુવક સંઘ'! ત્રીજા નંબરે હોય તો જેનસમાજનું નામચીન જૈન” છાપું ! અને બીજા કોઈ હોય તો તે પણ કોઈક જ !એ ચોમેરની માગણી.
પણ આ બધાએ જાહેરમાં એવી માગણી કરી હોય એવું સ્પષ્ટ તો બહાર આવ્યું હોય, તેમ સ્મરણમાં નથી. છતાં ચોમેર માગણી, ભયંકર બદી, કેસો અને મારામારી, એ શબ્દો લખવા પડ્યા છે, કારણ કે એ ન લખે તો પહેલો ફકરો કિંમતહીન થઈ જાય છે. એટલે જેવી ઇમારત બાંધવી હોય એવો પાયો ચણવો જ જોઈએ.
એક પાક્ષિક તરફથી માગણી થઈ એમ લખ્યું હોત તો હજુ માની લેત, પણ ચોમેરથી માગણી થઈ એટલે સર્વપક્ષીય માગણી જેવો અર્થ થાય છે. બદી, કેસ, મારામારી,-આ બધા એટલા ભયંકર કોટિના આક્ષેપો છે કે એને પુરવાર કરવા બનતી તક આપવી જોઈએ અને જો આવું જ બનતું હોય ને પુરવાર કરી દે, તો આપણે પણ કહીએ છીએ કે એ કાયદો થાઓ ! કેમ કે આ તો લુટારુ કામ થયું. એ આરોપો પુરવાર થઈ જાય તો કાયદા સામે બિલકુલ વિરોધ છે જ નહિ. માટે આપણે એમને કહીએ છીએ કે કાયદો કરાવવાની હોંશ હોય તો આ વસ્તુ પુરવાર કરો ! સગીરનું હિત બગડે છે?
બીજી દલીલ આપે છે કે – ૪. સગીરના હિતની ખાતર આ કાયદાની આવશ્યકતા છે.'
આપણે પૂછીએ છીએ કે આ માર્ગે વાલીઓ સગીરને ચડાવતા હોય, તો એમાં સગીરનું અહિત શું થાય છે ? આ જ રાજ્યમાં ફરજિયાત કેળવણીનો કાયદો થયો છે કે જે મા-બાપ પોતાના દીકરાને કેળવણી ન આપે એને દંડ કરવો.
મા-બાપ કે બાળકની ઈચ્છા હોય કે ન હોય, છતાં ફરજિયાત કેળવણીનો કાયદો કરનાર રાજ્ય, ફરજિયાત નહિ પણ મરજિયાત, બાળકની ઈચ્છા કરાવીને, યોગ્ય મા-બાપ સન્માર્ગે ચડાવવાનો પ્રબંધ કરે, તો એમાં પ્રતિબંધ શું કામ કરે? દિક્ષા જેવી ચીજ ફરજિયાત લેવી જોઈએ, એવું તો કોઈ કહેતું નથી. પૂર્વના શુભ સંસ્કારો જાગે, કર્મોનો www.
. પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫
છે
તે
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org