________________
02
=0
પાપ શુદ્ધિની પ્રક્રિયા
ક્રોધ, લોભ, ભય, હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢમતિ થઇ જે અસત્ય વચન બોલ્યું હોય તથા કોઇ આત્માને કટુ, કર્કશ, પરને પીડાકારી શબ્દ બોલાયો હોય, ધ્રાસ્કો પડે તેવું બોલાયું હોય, કલહ-કંકાસ-ઝગડો કે મરણ થાય તેવું બોલાયું હોય, નિશ્ચયકારી વાણી, સાવદ્ય વચન, કોઇ પણ પ્રકારે બોલાયું હોય તો તે સર્વની નિંદા, ગર્હા કરૂં છું મિચ્છામિ દુક્કડં કરું છું. મનયોગથી માઠી ચિંતવના કરી હોય, અશુભ વિચારો કર્યા હોય, કોઇના વિષે બૂરું વિચાર્યું કે ચિંતવ્યું હોય, કોઇના રોગ, ક્લેશ, મરણ ચિંતવ્યા હોય, કોઇને દુ:ખ થાય તેવી માનસિક સ્થિતિ રાખી હોય, આમ અનેક રીતે મનયોગ એવીજ રીતે વચનયોગ દુષિત કર્યો હોયતો તેની નિંદા, ગહ કરીને મિચ્છામિદુક્કડં કરૂ છું
ર
કપટ કળાથી બીજાને છેતરી, થોડું પણ નહીં આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય, માલિકની ઇચ્છા કે આજ્ઞા વિના સુક્ષ્મ કે સ્કુલ, અલ્પ કે બહુ મૂલ્ય, સચિત્ત કે અચિત્ત કોઇ પણ જાતનું અદત્તાદાન લીધું હોય, અસ્તેય દુષિત કર્યું હોય તો તે સર્વની નિંદા ગોં કરીને મિચ્છામિ દુક્કડં કરૂં છું ॥૩॥
રાગ સહિત હ્રદયથી દેવતા સબંધી, મનુષ્ય, તિર્યંચ સબંધી મેં જે મૈથુન સેવન કર્યું હોય તો તેની નિંદા, ગર્હ કરીને મિચ્છામિ દુક્કડં કરૂં છું ।।૪।।
ધન, ધાન્ય, સુવર્ણ વિગેરે નવજાતના પરિગ્રહ સબંધમાં જે મમત્વભાવ ધારણ કર્યો હોય તેની નિંદા, ગર્હ કરીને પરિગ્રહ સબંધી થયેલા પાપને વોસિરા પુછું અને તેનું મિચ્છામિ દુક્કડં કરૂં છું "પપ્પા
ગૃહસ્થપણામાં આ પાંચ અણુવ્રત તથા ૬-૭-૮ ત્રણ ગુણવ્રત અને ૯-૧૦-૧૧-૧૨ ચાર શીક્ષાવ્રત એમ બારવ્રતમાં કોઇ પણ અતિચાર લાગ્યો હોય તો તેની નિંદા ગર્હ કરીને મિચ્છામિ દુકૐ કરૂં છું. રાત્રિભોજનના ત્યાગમાં જે કંઇ ભૂલચૂક થઈ હોયતો તે મિચ્છામિ દુક્કડં.
જિનેશ્વર ભગવંતે કહેલો બાર પ્રકારનો બાહ્ય અને આત્યંતર તપ જે મારી શક્તિ પ્રમાણે કર્યો ન હોય તો તેની નિંદા ગર્હા
Jain Education International
૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org