________________
પાપ શુદ્ધિની પ્રક્રિયા
યોગે આત્માને વિશુદ્ધ બનાવ્યા છતાં આત્મા વિશુદ્ધ બન્યો ન હોય, આભવમાં કે ભવાંતરમાં કોઈ પણ જીવ સાથે કોઈ પણ જાતનો અપરાધ કર્યો હોય, દુ:ખ દીધું હોય, વિયોગ પડાવ્યા હોય, સંપત્તિ લૂંટી હોય, વિશ્વાસઘાત કર્યો હોય, છળ પ્રપંચ કર્યા હોય, વચન આપી તોડ્યા હોય, આશા ર આપી જીવન વિનાશ કર્યો હોય, ધર્મના બહાને છેતર્યા હોય, કુમાર્ગે ચડાવ્યા હોય, ખોટી સલાહ આપી કલેશ ઝગડા કરાવ્યા હોય, આ પ્રકારે કોઈ પણ રીતે ગુનેગાર થયો હોઉં, ગુણચોર બન્યો હોઉં, અપકાર કર્યો હોય, ઉપકાર ઓળવ્યો હોય ઈત્યાદિક વેર વિરોધ કર્યા કે કરાવ્યા હોય, કરતાંને રૂડું જાણ્યું હોય તો મન વચન કાયાએ કરી સર્વ જીવોને વારંવાર ખમાવું
છું.
-
હે જીવાત્માઓ! મારા અપરાધ ખમજો, મને માફી આપો, ફરીથી અપરાધ ન થાય તેવી હે પ્રભુ મને સન્મતિ પ્રાપ્ત થજો.
ચાર લાખ યોનિ સાથે ક્ષમાપના
ચોરાસી લક્ષ જીવાયોનિના જીવો સાથે વૈર વિરોધ થયો હોય તો ખમાવું છું. ૭ લાખ પૃથ્વી કાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બેઈન્દ્રિય, ૨ -લાખ તેઈન્દ્રિય, ૨ -લાખ ચઉરેન્દ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૧૪ લાખ મનુષ્ય પંચેન્દ્રિય એ ૮૪ લાખ જીવાયોનિના જીવને હાલતાં - ચાલતાં, ઉઠતાં - બેસતાં, જાણતાં - અજાણતાં હણ્યા હોય, હણાવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તો અનંતા સિધ્ધ, અરિહંત - કેવલી ભગવંતની સાક્ષીએ ભુજો ભુજો
કરી ખમાવું છું.
Jain Education International
४०
For Personal & Private Use Only
www.jainelibrary.org