________________
પાપ શુદ્ધિળી પ્રક્રિયા
સીની માંગ યા ના મીલન લોકોનો
હવે પાંચ આચાર સબંધી જે કોઈ પાપ - દોષ લાગ્યા હોય તે આલોઉં છું જ્ઞાનાચાર - ૮, દર્શનાચાર - ૮, ચારિત્રાચાર -૮, તપાચાર - ૧૨, અને વીર્યાચાર - ૩, એ ૩૯ પ્રકારના આચાર સમ્યફરીતે આરાધ્યા ન હોય, છે આવશ્યક સમ્યક રીતે આરાધ્યા, પાળ્યા, સ્પર્યા ન હોય, ઉપયોગરહિત કે અનાદર પણે કર્યા હોય, વાસી પ્રકારના પ્રતિક્રમણ સમ્યક પ્રતિક્રમ્યા ન હોય, સામાયિક - પૌષધ -વ્રત પચ્ચકખાણ - યમ - નિયમ - સજઝાય - ધ્યાન - સંતોષ -ક્ષમા - ઉપશમ - વિવેક - સંવર - દાન - શીલ - તપ ભાવ આદિ કલ્યાણકારી સદ્ગણોની આરાધના કરી ન હોય, ઉપયોગે -અનુપયોગે ખંડના કે વિરાધના થઈ હોય, અઢાર લાખ, ચોવીશ હજાર, એકસોને વીસ (૧૮૨૪૧૨૦) પ્રકારે જે કોઈ પાપદોષ લાગ્યો હોય તે અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. '
અઢાર પાપની આલોચના
હવે અઢાર પાપ સ્થાનક સબંધી જે પાપ લાગ્યા હોય તે આલોઉં છું.
(૧) હિંસા કરી હોય, (૨) ક્રોધ - લોભ - ભય - હાસ્ય એ ચાર કારણથી જૂઠું બોલાયું હોય, (૩) થોડી - ઘણી -નાની -મોટી - સચિત્ત - અચિત્ત એ છ પ્રકારની ચોરી કરી હોય (૪) મૈથુન સેવન કર્યું હોય, (૫) પરિગ્રહ રાખ્યો હોય, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભનું સેવન કર્યું હોય, (૧૦) રાગ, (૧૧) દૈષ કર્યા હોય, (૧૨) ક્લેશ કર્યો હોય, (૧૩) કોઈના પર આળ ચડાવ્યાં હોય, (૧૪) ચાડી - ચુગલી કરી હોય, (૧૫) અવર્ણવાદ બોલી નિંદા કરી હોય, (૧૬) પાપમાં રતિ, અને ધર્મમાં અરતિ વેદી હોય, (૧૭) માયા કપટ સહિત જૂઠું બોલાયું હોય - જિનેશ્વરના માર્ગમાં શંકા -કંખા રાખી વીપરીત
(૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org