SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ | પાપ શદ્ધિની પ્રક્રિયા સ્વાર્થ સાધવા અવગુણીના પણ ખોટા વખાણ કર્યા હોય, વચન ભંગ કર્યો હોય, પ્રતિજ્ઞા તોડી હોય, કષાયવશ ગમે તેમ બોલાયું હોય તો જન્મથી માંડીને આજ દિવસ પર્યત દ્રવ્ય -ક્ષેત્ર - કાલ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ કે રાત્રિ સબંધી બીજાવ્રતમાં કોઈ પણ રીતે ખંડના કે વિરાધનારૂપ પાપદોષ લાગ્યો હોય, અસત્ય સેવ્યું કે સેવરાવ્યું હોય, અનુમોધું હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. ત્રીજાવ્રતના અતિચાર ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) અજાણતા ચોરાઉ વસ્તુ લીધી હોય (૨) ચોરને ઓળખ્યા વિના લાયક જાણી મદદ કરી હોય (૩) સરકારની મનાઈ છતાં વિરોધી દેશમાં ગયા હોઈએ કે કોઈ પણ જાતનો સબંધ રાખ્યો હોય અથવા સરકારી કાનૂન વિરુદ્ધ કોઈ પણ કાર્ય કર્યું હોય (૪) ઘસાઈ ગયેલા તોલ - માપે દીધું હોય અને નવા તોલ માપે લીધું હોય (૫) સારી વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપી હોય અથવા ભેળસેળ કરીને આપી હોય એ ત્રીજાવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડ તદુપરાંત મિત્ર સાથે, ભાઈ - ભત્રીજા કે સગાસબંધીનો વિશ્વાસઘાત કર્યો હોય, ધનની લાલચે કોઈનો પણ ઘાત ચિંતવ્યો હોય, કોઈની થાપણો ઓળવી હોય, કરજ ચુકવવામાં ખોટી દાનત કરી હોય, લાંચ લીધી હોય, અનીતિ કરી હોય, વેર - ઝેરના કારણે નિર્દય થઈ, પારકી આજીવિકા ભાંગી હોય, ભાગ પાડતાં ન્યૂનાધિકતા કરી હોય, ખોટાં નામાં કે હિસાબ કર્યા હોય. શેઠની માલિકીમાંથી કે ભાગીદારીમાંથી ચોરી કરી હોય, દલાલી ઉપરાંત ભાવમાં પોતાનો હિસ્સો રાખ્યો હોય, વ્યાજે આપી ઠરાવથી વધારે લીધું હોય, ખોટા સિક્કા કે ઘરેણાં બનાવ્યા હોય, જાલિ નોટો બનાવી હોય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005584
Book TitlePaap Shuddhini Prakriya
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Maharaj
PublisherLaghaswami Jain Pustakalay
Publication Year1995
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy