SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ઔદયિક-ક્ષાયિક-પારિમિક ભવસ્થ કેવળજ્ઞાનિએને હોય છે તેમાં ઔદયિક ભાવે મનુષ્ય ગતિ આદિ તથા બાકીના બે ભાવો સિદ્ધભગવંતેની માફક. (૩) ઔદયિક-ક્ષાપશમિક-પારિણમિક-ચાર ગતિના સમ્યગૃષ્ટિ તથા મિથ્યાદષ્ટિ જીવેને હેય છે. અહીં સમ્યગ્દષ્ટિ તરીકે ક્ષાપશમિક સમ્યગૃષ્ટિ લેવા. ઔદયિક ભાવે ગતિ વગેરે, ક્ષાપશમિક ભાવે જ્ઞાન–અજ્ઞાન તથા સમ્યક્ત્વ વગેરે, પરિણામિક ભાવે જીવત્વ ભવ્યત્વ તથા અભવ્યત્વ. (૪) ઓદયિક-ક્ષાપશમિક-ઔપશમિક-પારિણુમિકચારે ગતિના પથમિક સમ્યગદષ્ટિ ને હોય છે. અહીં પણ ઔદયિકાદિ ભાવે પૂર્વ મુજબ હેય જ્યારે ઔપશમિક ભાવનું સમ્યકત્વ હોય છે. (મનુષ્યગતિમાં પશમિક ભાવનું ચારિત્ર પણ હોઈ શકે.) (૫) ઔદયિક-ક્ષાપશમિક-સાયિક-પરિણુમિકઆ ચતુઃસંયેગી ભાંગે ચારે ગતિના ક્ષાયિક સમ્યગૃષ્ટિ જીવોને હોય છે. અહીં પણ પૂર્વના ભાગ મુજબ ભાવ જાણવા માત્ર સમ્યફવ ક્ષાયિક હોય (મનુષ્ય ગતિમાં ક્ષાયિક ચારિત્ર પણ હોઈ શકે) (૬) ઓદયિક-ક્ષારોપથમિક-પથમિક-ક્ષયિક-પારિણામિક–આ પંચરંગી ભાંગે માત્ર મનુષ્ય ગતિને વિષેઉપશમ શ્રેણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગૃષ્ટિ જીવોને હેય છે. આમાં ઔદયિક ભાવે ગત્યાદિ, ક્ષાપશમિક ભાવે જ્ઞાનાદિ, ઓપશમિક ભાવે ચારિત્ર તથા ક્ષાયિક ભાવે સમ્યક્ત્વ, તેમજ પારિણામિક ભાવે જીવવાદિ હોય છે. - આ છ સંભવિત ભાંગામાંથી ૩ જે, ૪, ૫ મે ભાગો ચારે ગતિમાં છે એ અપેક્ષાએ વિચારતા ૪૪૩=૧૨ તથા બાકીના ત્રણ થઈ કુલ સાન્નિપાતિક ભાવના છ વિકલ્પના પંદર ભાંગા થાય છે. ઉપશમભાવ માત્ર મેહનીય કર્મમાં હોય છે. ક્ષપશમ ભાવ ચારે ઘાતિ કર્મમાં હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy