SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ ૧૨૧ કેટ, 1 કયા બંધસ્થાનો લામો કાલ આવે ક્યારે ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે - -: ૨ અવક્તવ્ય બંધ :અબંધક થઈને | ૧૧મેથી પડતાં ૧૦મે આવે ત્યારે પ્રથમ એક સમય અબંધક થઈને | ૧૧મેથી કાલધર્મ પામી અનુત્તરમાં ઉત્પન્ન | પ્રથમ એક સમય થતા ૪ ના ૬ના (-: અથ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો છે. ૨૨-૧૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨ અને ૧ છે. ત્યાં ૨૨નું બંધસ્થાનક મિથ્યાદષ્ટિને વિષે, ર૧નું બંધ0 - સાસ્વાદન ગુણસ્થાનકે, ૧૭નું બંધ - મિશ્ર અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, ૧૩નું બંધo - દેશવિરત ગુણસ્થાનકે, ૯નું બંધ0 - પ્રમત્ત - અપ્રમત્ત – અને અપૂર્વકરણ ગુણસ્થાનકે, ૫ આદિથી ૧ સુધીના બંધસ્થાનકો અનિવૃત્તિબાદ ગુણસ્થાનકમાં પ્રથમ આદિ પાંચ સુધીના ભાગને વિષે હોય છે. નવ ભયસ્કાર :- અહીં ભૂયસ્કાર-૯ છે. અને ઉપશમશ્રેણિથી પડતાં જીવને “સંજ્વલન લોભરૂપ એક પ્રકૃતિ બંધ થી શરૂ કરી ક્રમ પ્રમાણે જાણવું. આઠ અલ્પતર બંધ - - “અલ્પતરબંધ તો ૮ છે, કારણ કે ૨૨ના બંધથી ૨૧ના બંધમાં અને ૨૧ના બંધથી ૧૭ના બંધમાં જવાનો સંભવ નથી. ૨૨ના બંધકવાળા મિથ્યાદષ્ટિ જીવને ૨૧નું બંધક સાસ્વાદન ભાવનું અનંતર અપ્રાપ્ત હોવાથી. અને ૨૧ના બંધકવાળા સાસ્વાદનને નિશ્ચયથી મિથ્યાત્વે જ ગમન હોવાથી, ૧૭ના બંધક મિશ્ર અવિરત સમ્યગ્દષ્ટિ ભાવનો લાભ ન હોવાથી. દશ અવસ્થિતબંધ :- અવસ્થિતબંધ -૧૦ છે. “સ્થિતબ્ધ સર્વત્રવિન્થસ્થાનમઃ” = અવસ્થિતબંધ સર્વ જગ્યાએ બંધસ્થાન જેટલાં છે, એ વચન હોવાથી. બે અવક્તવ્યબંધ - એક અને ૧૭ પ્રકૃત્યાત્મક બે અવક્તવ્યબંધ છે, અને તે ઉપશાંતમો ગુણસ્થાનકથી અદ્ધાલયથી અને ભવક્ષયથી પડતાને ભાવવું.(યંત્ર નંબર-૧૫ જુઓ)(અનુસંધાણ પેઈઝ નંબર-૧૨૫) ઇતિ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત અહીં૯માં ગુણઠાણ પમા ભાગે સંલોભન - ૧નો બંધ કરે છે, ત્યાંથી પતિત થયે જ્યારે૯/૪ ગુણસં માયા સહિત રન બંધ શરૂ કરે ત્યારે પહેલા સમયે રનો ભયસ્કારબંધ અને બીજા સમયથી પ્રારંભીને જ્યાં સુધી ૩નો બંધ ન શરૂ કરે ત્યાં સુધી એ જ ૨નો અવસ્થિતબંધ ગણાય, એ પ્રમા ૨ના બંધથી ૩નો બંધ ૯/૩ ગુણo કરે ત્યારે ૩નો ભૂયસ્કારબંધ પહેલા સમયે હોય અને બીજા સમયથી કાવત્ ૪ બંધ શરૂ ન કરે ત્યાં સુધી એ જ ૩નો અવસ્થિતબંધ ગણાય. એ રીત થી ચઢતાં અનુક્રમે ૪-પ-૯-૧૩-૧૭-૨૧ અને ૨૨ના બંધના પ્રારંભ સમયે ભૂયસ્કાર અને બીજા સમયથી અવસ્થિતબંધ ગણતાં ૯ ભૂયસ્કારબંધ તથા ૯ અવસ્થિતબંધ થાય છે. અહીં મિશ્રાદષ્ટિ જીવ ૨૨નો બંધ કરી જ્યારે ૩જા કે ૪થા ગુણ જાય ત્યારે પ્રથમ સમયે ૧૭નો પહેલો અલ્પતર બીજા સમયથી જ્યાં સુધી પમા ગુo જઈ ૧૩નો બંધ શરૂ ન કરે ત્યાં સુધી તે જ ૧૭નો અવસ્થિત બંધ હોય છે. એ પ્રમાણે ઉતરતાં ક્રમે ૧૩-૯-૫-૪-૩-૨ અને ૧ના બંધમાં પહેલા પહેલા સમયે અલ્પતરબંધ હોય અને દરેક અલ્પતરમાં બીજા બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. તેથી મહનીયના ઉતરતાં ક્રમે ૮ અલ્પતરબંધ અને ૮ અવસ્થિતબંધ હોય છે. અહીં ૨૨નું બંધસ્થાનક અભવ્યને અનાદિ અનંત તથા જે ભવ્ય જી હજી સુધી મિથ્યાત્વ ગુણ૦થી આગળ વધ્યા નથી, પરંતુ હવે વધવાના છે. તે આશ્રયી અનાદિ સાંત, અને ઉપરના ગુણoથી પડી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા જીવ આશ્રયી સાદિસાંત છે. અને બાકીના બંધસ્થાનકનો કાળ તે તે બંધસ્થાનક જે જે ગુણસ્થાનકે હોય તે તે ગુણસ્થાનકનો જેટલો કાળ હોય તેટલો છે. અહીં ૧૦ અવસ્થિતબંધ છે પણ તે જુદી જુદી રીતે ગણતાં ૨૦ પ્રકારે પણ થાય છે. જે યંત્ર નંબર ૧૫ દ્વારા સમજી શકાશે. (૧) ૧૧મે થી તેની કાળ પૂર્ણ કરી ક્રમશ પડતાં પડતાં ૯૫ ભાગે પ્રથમ સમયે સંલોભ ૧ નો બંધ કરે તે ૧નો અવક્તવ્ય પહેલો થાય, પછી બીજા સમયથી અવસ્થિતબંધ થાય. (૨) અથવા ભવક્ષયે દેવપણું પ્રાપ્ત કરે ત્યારે પહેલા સમયે ૪થા ગુણઠાણ ૧૭નો અવક્તવ્યબંધ, બીજા સમયે અવસ્થિતબંધ હોય છે. ૭૦ ૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy