________________
એ શ્રાવક સામાયિક પારીને, એ કાર્ય કરવા દ્વારા, દ્રવ્યપૂજાનો પણ લાભ લઈ લે.
શાસ્ત્ર અહીં સ્પષ્ટ કર્યું છે કે, દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે છે નહિ અને દ્રવ્યપૂજા માટે જરૂરી સામગ્રીનો ખર્ચ નિર્ધનપણાને કારણે પોતે કરી શકે તેમ નથી, એટલે સામાયિક પારીને પારકી સામગ્રી દ્વારા એ આ પ્રમાણેનો લાભ લે, તે યોગ્ય જ છે. વળી શાસ્ત્ર એમ પણ કહ્યું છે કે, રોજ જે અષ્ટપ્રકારી આદિ પૂજા કરી શકે તેમ ન હોય, તેણે છેવટે રોજ અક્ષતપૂજા કરવા દ્વારા પૂજાનું આચરણ કરવું. સંઘની સામગ્રીથી પૂજા કરનારાઓને....
શાસ્ત્રોમાં આવી આવી સ્પષ્ટ વાતો કહેલી હોવા છતાં પણ શ્રાવકો પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરાવવાની વાતો આજે શાસ્ત્રપાઠોના નામે પણ કરવામાં આવે છે અને તેમાં દાડે દાડે સંમતિ આપનારાઓ વધતા જાય છે.
જિનપૂજા અંગે આજે કેટલેક સ્થળે લ્હાવા આદિની વ્યવસ્થા થયેલી છે, પણ ત્યાં શું બને છે, એ તો જુઓ !ાનારા ૧૫૦૦ ને પૂજા કરનારા ૫૦૦ જેવી દશા આવવા લાગી છે. પૂજા કરનારાઓ પણ પૂજા કરી છે, તે જાણે ઉપકાર કરતા હોય, એવું વર્તન મોટે ભાગે રાખે છે. પૂજા કરીને વાટકી ને થાળી ગમે તેમ રખડતી મૂકી દે છે ને ? પૂજાનાં કપડાં કાઢીને જેમ-તેમ ફેંકી દે છે ને ? પૂજાનાં કપડાં માટેય શાસ્ત્ર તો એ વિધિ કહ્યો છે કે, બને ત્યાં સુધી બીજાનાં કપડાં પહેરવાં નહિ અને પોતાનાં કપડાં પણ બહુ જ ચોખ્ખાં રાખવાં, નહિ તો આશાતનાનું પાપ લાગે.
કુમારપાળ રાજાનાં પૂજા કરવા માટેનાં વસ્ત્રો, એક વાર બાપડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યા, એટલે કુમારપાળે એ વસ્ત્રો પૂજા માટે ન પહેરતાં, ચાહડને નવાં વસ્ત્રો લાવવાનું કહ્યું. ચાહડે કહ્યું કે, આ વસ્ત્રો બંબેરા નામની નગરીથી આવે છે અને ત્યાંનો રાજા જે વસ્ત્રો મોકલે છે, તે એક વાર પોતે વાપરીને પછી જ અહીં મોકલે છે. તરત જ કુમારપાળે પૂજા માટેનાં વસ્ત્રો બીજા કોઈએ પણ વાપર્યા વિનાનાં મળે – એવી વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. એ માટે કુમારપાળે ઘણું દ્રવ્ય ખર્ચાવ્યું હતું. કેમ કે શક્તિ અનુસાર ભાવના જાગ્યા વિના રહે નહિ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૧.