SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આ એક ચમત્કારીક કલ્પ છે. પૂ.પં. વીરવિજયજી મ.સા. એ સાધના કરેલા અને પ્રત્યક્ષ કરેલા માં પદ્માવતીજી આજે પણ અમદાવાદ તાશાની પોળ પૂ. વીર વિજ્યજીના ઉપાશ્રયમાં બિરાજમાન છે. 5 વર્ષો પૂર્વે નેપાળમાં અતિ ચમત્કારી એવા સ્કુર્લીગ પાર્શ્વનાથ, છાયા પાર્શ્વનાથ તથા મંત્રાધિરાજ પાર્શ્વનાથ પ્રભુજી હતા. 25 આ. પ્રિચંગુસૂરિજી મહારાજાએ અંબિકાદેવીને બોકડામાં ઉતારી બોકડા હોમ યજ્ઞ બંધ કરાવ્યો હતો. As પ્રભાવક ચરિત્રમાં લખે છે કે આ. બપ્પભટ્ટસૂરિજી મહારાજાએ નગ્ન સરસ્વતી દેવીનું ધ્યાન ધર્યું તેથી સરસ્વતી દેવીએ આવી તેમને વરદાન આપ્યું અને દેવી સહાયપૂર્વક આમરાજાને પ્રતિબોધ પમાડયા. આ બપ્પભટ્ટસૂરિજી મહારાજાનું “કરમરાલ..” સરસ્વતિ સ્તોત્ર સરસ્વતી દેવીની સાધના માટે ઉત્કૃષ્ટ છે. 45 ઉતરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે હરિકેશી નામના ચંડાલ સાધુ થયા. તેમણે યજ્ઞશાળામાં યાચના કરતા બ્રાહ્મણો ગુસ્સે ભરાયાને મારવા લાગ્યા ત્યારે દેવીએ આવી તેની સહાય કરી. 25 આ. જિનદત્તસૂરિજી મહારાજાને અંબિકાદેવીની સહાય હતી. અંબિકાદેવીએ જિનદત્તસૂરિજી મહારાજાને યુગપ્રધાનપદ આપ્યું તે વાત જાણવા મળે છે. સંઘ રક્ષાર્થે યુગપ્રધાનાચાર્યે વિજળી પાત્રમાં વહોળી લીધી હતી. આજે પણ આ.શ્રી નું નામ લેતા વિજળીનો ભય રહેતો નથી. આજે ૮૦૦ વર્ષ પછી પણ આ. જિનદત્તસૂરિજી મહારાજની આણ વર્તે છે. તેમના અંતિમ સમયે કામળી, રજોહરણ વગેરે અગ્નિસંસ્કાર વખતે ચમત્કારીક રીતે બચી ગયેલા તે આજે પણ જેસલમેરના જ્ઞાનભંડારમાં સુરક્ષીત છે. આ આચાર્યે પરમાત્માના નિર્વાણ બાદ શાસનને દીપાવ્યો હતો. તેમના જીવનમાં ચમત્કારોની હારમાળા સર્જાયેલી હતી. 5 શત્રુંજય મહાતીર્થ પર આ. વિદ્યામંડનસૂરિજી મહારાજાએ એવા અંજન શલાકા કર્યા તે વખતે પ્રભુ પ્રતિમાએ ૭-૭ વાર શ્વાસોશ્વાસ લીધેલા. મન્ત્ર સંસાર સારં ૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy