SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધીના સમયકાળને સ્પર્શવા એક નાનો ને નવલો અખતરો કરેલ છે. (વિભાગ-૧) 5 પ્રથમ તીર્થપતિ ઋષભદેવ જયારે સાવ નાના બાળ હતા ત્યારે દેવના ઈદ્ર જેઓ સ્વયં તેમના પુણ્ય થકી ત્યાં આવેલ તેમના હાથમાંથી શેરડીનો સાંઠો ખેંચી લીધેલ, જેથી ઈન્દ્ર ઈક્વાકુ કુળ તથા કાશ્યપ ગોત્ર સ્થાપ્યું. આ ઉપરાંત પણ રાજા ભરતને સાધર્મિક ભક્તિની પ્રીતિ શિખવાડવા, યુદ્ધ નિહાળવા વગેરે પ્રસંગે દેવતાઓ આવેલ. 25 ત્રીજા પ્રભુ સંભવનાથ પાસે દીક્ષા લઈ ઓઘો લઈ નાચતો બાળ તે જ વખતે કાળધર્મ પામ્યો તે દેવ બન્યો, તરત જ પોતાના પિતાના દુઃખને દૂર કરવા દેવ રૂપે દીક્ષાસ્થળે જ આવી સૌ સમક્ષ દર્શન દીધાં. 25 પાંચ પાંડવ જયારે સરોવરમાં ફસાણા ત્યારે તેમને બચાવવા અબળા એવી કુંતી અને દ્રૌપદીએ તરત કાઉસગ્ગ કરી સૂક્ષ્મ બળ પેદા કર્યું; જેથી સવારે સૌધર્મેન્દ્રનું વિચરતું વિમાન અલના પામ્યું, તેઓ પૃથ્વી ઉપર આવ્યા ને સતીઓના શીલ-પ્રભાવે પાંડવો મુક્ત થયા. 21 ધનમિત્ર વણિકની દીક્ષા ધનશર્મા પુત્ર સાથે ગઈ. ઉનાળાના તાપમાં તૃષાતુર પુત્રે પિતામુનિના આગ્રહ છતાંય સચિત પાણી ન પી પ્રાણ ગુમાવ્યા ને શુભ ભાવના પ્રભાવે દેવ બન્યો. પોતાના જ કલેવરમાં પ્રવેશ કરી ગોકુલો વિકુવ્ય ને પિતાની ઉપધિ ગુમ કરી દેવાઈ માયાથી પિતાને પ્રતિબોધ્યા. 25 રાજા મેઘરથને છેતરવા બે દેવો આવ્યા ને તેમાંથી કબૂતર બનેલા દેવના પ્રાણ બાજપક્ષી રૂપી દેવથી બચાવવા રાજવીએ પોતાની જાંઘનું માંસ કાઢી આપ્યું ને જીવદયા માટે પોતાના સંપૂર્ણ શરીરને પણ સોંપી દઈ તીર્થકર નામકર્મ બાંધ્યું ને ૧૬મા પ્રભુ શાંતિનાથ બન્યા. A પ્રભુ નેમિનાથના શાસનકાળમાં પતિના ભયથી પ્રભુ નેમિનાથનું શરણું લઈ કૂવામાં આપઘાત કરનાર પત્ની મટી અધિષ્ઠાયિકા દેવી અંબિકા બની છે, જે દેવી સ્વપ્ન-દર્શન દ્વારા સજ્જન મંત્રી પાસે આવી અને ગિરનારમાં નેમિનાથજીનું દહેરાસર કરાવ્યું. મન્ત્ર સંસાર સાર.... ૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy