SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 38 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્ર વિજ્ઞાન સંસાર અને સમય બંને નદીના પ્રવાહની માફક ગતિશીલ છે. 2420Hi zis scad E. WE CANNOT CROSS THE SAME RIVER TWICE. એક નદીમાંથી આપણે એક વખત પસાર થઈ ગયા, તે પછી તે જ નદીમાંથી આપણે ફરીથી પસાર થઈ શકતા નથી, અર્થાત્ પુનઃ નદીમાંથી પસાર થતી વખતે પાણી બદલાઈ જ ગયું હોય છે. આવા ગતિશીલ સંસારમાં જીવ માત્રને સુખી થવાની ઈચ્છા હોય છે. કોઈ પણ જીવ એમ નથી ઈચ્છતો કે હું દુઃખી થાઉં. અલબત્ત, પ્રત્યેક મનુષ્ય અને એક જ મનુષ્યની વિભિન્ન સમયે સુખ અને દુઃખની વ્યાખ્યાઓ બદલાતી રહે છે. સુખ અને દુઃખની આ બધી જ વ્યાખ્યાઓનો સમાવેશ એક જ વ્યાખ્યામાં કરવાનો હોય તો એમ કહી શકાય કે -મનોવાંછિત-ઈષ્ટની પ્રાપ્તિ અને અનભીસિત અર્થાતુ અનિષ્ટનો વિયોગ થવો તે સુખ છે. -અને ઈષ્ટ વસ્તુનો વિયોગ તથા અનિષ્ટ-અપ્રિય વસ્તુનો અનિચ્છાએ થયેલ સંયોગ-પ્રાપ્તિ, તે દુઃખ છે. સર્વ કોઈ જીવને પૂર્વમાં કરેલ શુભ કે અશુભ કર્મોના પરિપાક સ્વરૂપે સુખ કે દુઃખ મળે છે. અલબત્ત, કયારેક બાહ્ય સ્વરૂપે દેખાતું ઐહિક સુખ, વસ્તુતઃ સુખ ન પણ હોઈ શકે તો કયારેક બાહ્ય સ્વરૂપે દેખાતું દુઃખ વસ્તુતઃ દુઃખ ન પણ હોઈ શકે. કારણ કે એ દુઃખ, ભવિષ્યમાં સુખ પ્રાપ્તિની આશા અને આકાંક્ષાવશ ભોગવવામાં કોઈ તકલીફ પડતી નથી. ખરેખર તો, આપણી માનસિક સ્વસ્થતા એ જ આપણા સુખનું મૂળ છે. અને એ માનસિક સ્વસ્થતા મેળવવા માટે સંસારનો પ્રત્યેક મનુષ્ય પ્રયત્નશીલ છે. અને એ માટે મનુષ્ય વિવિધ પ્રકારે પ્રયત્ન કરતો જ રહે છે. આ પ્રયત્નોમાં પ્રાચીનકાળના યોગી પુરુષો, સાધક મહાત્માઓ અને ઋષિમુનિઓના શરણે ગયેલ જીવો, તેમના આશીર્વાદ દ્વારા પોતાની માનસિક અને શારીરિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓને સહન કરવાનું મન્ત્ર સંસાર સાર.. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy