________________
શ્રી સોભાગની સ્વભાવ જાગૃતદશા
શ્રી સોભાગભાઇનું રોગગ્રસ્ત શરીર વધુ ક્ષીણ થાય છે. શ્રીમદ્જીએ એમની અંતિમ અવસ્થા જાણી મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઇને સોભાગભાઇની સેવા કરવા માટે સાયેલા જવા આજ્ઞા કરી. અપૂર્વ આત્મજાગૃતિ અર્થે આરાધનામાં પરમ પરમ ઉપકારી થઇ પડે તેવા ત્રણ પત્રો શ્રીમદ્જીએ મુંબઇથી લખી મોકલ્યા કે જેની ચમત્કારિક અસર સોભાગભાઇના આત્મા પર થઇ. તે પત્રોની પ્રભાવક અસરને પ્રગટ કરતા શ્રી સોભાગભાઇ અંતિમ પત્ર લખતાં જણાવે છે. “આ કાગળ છેલ્લો લખી જણાવું છું જેઠ સુદ ૯ બુધવારે મરતક છે. એવો આગળ ભાસ થયેલ. તે સુદ ૯ નું બન્યું નહિં. છતાં તે તારીખ ગઇ. તો જેઠ વદ ૯ ને બુધવારે છે. ઘણું કરી તે તારીખે મરતકથાશે, એમ ખાત્રી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદ્રષ્ટિ રાખશો....... અને દેહ ને આત્મા જુદો છે, દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન-૮ થયા આપની કૃપાથી અનુભવગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે, અને રાતદિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઇ ગયું છે. એ આપને સહેજ જણાવા લખ્યું છે.'
Jain Education International
For Personal Private Use Only
9O
www.jainelibrary.org