________________
જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે
શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી, શ્રી સોભાગભાઇના અંત:કરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હૃદય આસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમ, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રધ્ધા અને સરળ મનોવૃત્તિએ, અલૌકિક પરિણામ અપાવ્યું. શ્રીમદ્જીને સાયલાથી વળાવતી વખતે પોતાના હૃદયનો આનંદ-ઉલ્લાસ તથા ભકિતની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઇ શૂરાતનથી શ્રીમદ્જીને કહે છે, ‘ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરૂષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો’ તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીલાથી વળગ્યો રહે તો વાળ વાકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઇ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું જ છે. ‘માગી ખાઇને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુ:ખ તૃણ માત્ર છે.”
૬ર. For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International